International Yoga Day 2023: 21મી જૂને જ શા માટે યોગ દિવસ મનાવવામાં આવે છે, તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 15:11:56

ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ ખુબ જ જરૂરી છે. યોગનો અભ્યાસ શરીરને રોગમુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે. ભારતમાં ઋષિમુનીઓના સમયથી જ યોગાભ્યાસ થતો આવ્યો છે.  યોગ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, જેનો પ્રચાર આજે વિદેશમાં પણ જોરશોરથી થઈ રહ્યો છે. વિદેશોમાં યોગના પ્રચારનો શ્રેય યોગ ગુરૂઓને જાય છે. ભારતીય  યોગગુરૂએ વિદેશી જમીન પર યોગની ઉપયોગિતા અને મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા. આજે સમગ્ર દુનિયામાં લોકોએ યોગને તેમના જીવનમાં સામેલ કરી દીધો છે. લોકો વિવિધ યોગાસનોની પ્રેક્ટિસથી સ્વસ્થ મન અને તનની પ્રાપ્તીનો અભ્યાસ કરી રહ્યા છે. યોગની આ ઉપયોગિતાથી તમામ લોકોને જાગરૂક કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રિય સ્તર પર યોગ દિવસ મનાવવામાં આવે છે. જો કે યોગ દિવસ મનાવવાની શરૂઆત કોણે, ક્યારે, કરી તે જાણવું ખુબ જ રસપ્રદ છે. આવો આજે આપણે જાણીએ કે યોગ દિવસના ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ અંગે..... 


સૌપ્રથમ યોગ દિવસ ક્યારે મનાવાયો?


કોરોના કાળ બાદ યોગનું મહત્વ લોકોને સમજાયું છે. સંક્રમણથી લડવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના હેતુંથી લોકો યોગ અભ્યાસ કરવા લાગ્યા, પરંતું 21 જૂનના રોજ 2015થી યોગ મનાવવાની શરૂઆત થઈ હતી. આ વર્ષથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવાનો શુભારંભ થયો હતો.


યોગ દિવસનો ઈતિહાસ 


ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં દુનિયાના તમામ દેશોને યોગ દિવસ મનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકારી લીધો અને માત્ર ત્રણ જ મહિનાની અંદર આંતરરાષ્ટ્રિય યોગ દિવસ આયોજીત કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આગામી વર્ષ 2015માં સૌપ્રથમ વખત સમગ્ર વિશ્વએ યોગ દિવસ મનાવ્યો હતો. 


શા માટે 21 જૂનના રોજ  યોગ દિવસ?


યોગ દિવસને મનાવવા માટે 21 જૂનનો દિવસ જ નક્કી કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ જ યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે તે સવાલ થાય તે સ્વાભાવિક છે.  તેનું  કારણ એ છે કે આ તારીખે જ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ સંક્રાતિ કહેવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સુર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. સુર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખુબ જ અસરકારક છે. આ જ કારણે દરેક વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ મનાવવામાં આવે છે.


આંતરરાષ્ટ્રિય યોગ દિવસ 2023ની થીમ


યોગ દિવસ 2023ની થીમ ' વસુધૈવ કુટુંબકમ માટે યોગ' (Yoga for Vasudhaiva Kutumbakam) છે. વસુધૈવ કુટુંબકમનો અર્થ થાય છે સમગ્ર ધરતી એક પરિવાર છે. આ થીમનું  તાત્પર્ય એ છે કે ધરતી પર તમામ લોકોના આરોગ્ય માટે યોગ ઉપયોગી છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.