લગ્ન પાછળ લાખો ખર્ચ કરવાને બદલે IPS-IASએ કર્યા સાદગીથી લગ્ન, 2000 રુપિયામાં સંપન્ન કરી લગ્નની વિધી, આ રાજ્યમાં નિભાવે છે ફરજ


  • Published By :
  • Published Date : 2023-08-26 15:15:25

લગ્ન પાછળ અનેક લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે. એક દિવસના જશ્ન પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવે છે. પરંતુ હવે અનેક લોકો એવા છે જે લગ્ન પાછળ ઓછા પૈસા ખર્ચ કરે છે. ધામધૂમમાં નહીં પરંતુ સાદાઈથી લગ્ન કરવાનું પસંદ કરી રહ્યા છે. આજની યુવા પેઢી શિક્ષિત પેઢી છે, જાગૃત છે માટે તેમના પ્રેરણાસ્ત્રોત કોઈ હિરો કે હિરોઈન નથી. તેમના પ્રેરણાસ્ત્રોત આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે. આજે એવા જ આઈએએસ અને આઈપીએસ અધિકારીની વાત કરવી છે જેમણે ખોટો ખર્ચો કરવાનું ટાળ્યું હતું અને સાદગીથી લગ્ન કર્યા. છત્તિસગઢના આઈએએસ અધિકારી યુવરાજ મરમટે આઈપીએસ મોનિકા સાથે કોર્ટરૂમમાં માત્ર 2 હજાર રૂપિયામાં લગ્ન કર્યા. 


સાદાઈથી આઈએએસ અને આઈપીએસ અધિકારીએ કર્યા લગ્ન 

વિગતવાર વાત કરીએ તો 2022 બેચના છત્તીસગઢ કેડરના IAS અધિકારી અને રાયગઢ જિલ્લામાં મદદનીશ કલેક્ટર તરીકે તૈનાત યુવરાજ મરમટે તેલંગાણા કેડરના IPS પી. મોનિકા સાથે લગ્ન કર્યા. પી. મોનિકા તેલંગાણા કેડરની 2022 બેચના પોલીસ અધિકારી છે. આ દંપતીએ લગ્નમાં ધૂમાડાબંધ ઉજવણી ન કરતા સોમવારે સાવ સાદાઈથી કોર્ટ મેરેજ કર્યા. રાયગઢના કલેક્ટર તરણ પ્રકાશ સિન્હાએ નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. 


નવદંપત્તિને અધિકારીઓએ પાઠવ્યા અભિનંદન 

જિલ્લા પંચાયતના CEO જીતેન્દ્ર યાદવે નવદંપતી અધિકારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. આઈએએસના યુવરાજ મરમટ અને આઈપીએસના પી. મોનિકાએ એડિશનલ કલેક્ટર સંતન દેવી જાંગડે પાસેથી લગ્નનું લાઇસન્સ મેળવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી.


IAS યુવરાજ મરમટ આ બેચના છે અધિકારી  

IAS યુવરાજ મરમટ છત્તીસગઢ કેડરના 2022 બેચના IAS અધિકારી છે. તે મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના મલારના ચૌધના રહેવાસી છે. તેમના પિતા સીતારામ મીણા નિવૃત્ત નાયબ નિયામક - જનસંપર્ક અધિકારી છે. યુવરાજે IIT BHUમાંથી સિવિલ બ્રાન્ચમાં B.Tech ડિગ્રી મેળવી છે. તેણે 2013માં ગેટની પરીક્ષા પણ પાસ કરી હતી. તે ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ માટે પણ પાસ થયા હતા. આ પછી, તેમણે કામ કરતી વખતે UPSC માટે તૈયારી કરી અને 2022 માં છઠ્ઠા પ્રયાસમાં 458 રેન્ક સાથે IAS અધિકારી બન્યા.


દેખાદેખીને કારણે લોકો લગ્નમાં કરે છે લાખોનો ખર્ચો! 

અત્યારની પેઢી માટે આઈએએસ અને આઈપીસે અધિકારીઓ પ્રેરણાસ્ત્રોત છે તો વિદ્યાર્થીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા જોઈએ. લગ્ન એક બંધન છે ભલે એકવાર થાય પણ કોઈને દેખાડી દઉં એવા લગ્ન કરવા છે એ ભાવ તો મનમાં ન જ હોવો જોઈએ. એક એ છે અને એક આપણે છીએ ક્યારેક એવું બને છે કે ક્ષમતા ન હોવા છતાં દેખાદેખીમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરી દઈએ છીએ



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.