ભાજપે જવાબદારી સ્વીકારવાની જગ્યાએ ઢોળવાની રાજનીતિ શરૂ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 11:53:09

ગજબ છે યાર ભાજપનું આઈટી સેલ આટલી કરુણ ઘટના પર આવી પ્રતિક્રિયાઓ કેમ આપી શકે. ગુજરાતના 130થી વધુ લોકોના મોત થયા છે. કમ સે કમ આ દુર્ઘટના મામલે તો પોતાની કલા કૌશલ્યતા ના દેખાડે. સોશિયલ મીડિયા પર એક ફોટો સતત વાયરલ થઈ રહ્યો છે જે મામલે સોશિયલ મીડિયા પર પંકજ શુક્લા નામના વ્યક્તિએ એક ટ્વીટ કરી છે. ગુજરાત ભાજપના IT સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી આક્ષેપની રાજનીતિ શરૂ કરી છે. સરકારની જવાબદારી હોય છે, લોકોએ તેમને ચૂંટીને વિધાનસભા ગૃહ મોકલ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જવાબદારી સ્વિકારવાની જગ્યાએ ભાજપનું આઈટી સેલ વિચારી રહ્યું છે કે જવાબદારી બીજા પર કેવી રીતે ઢોળી શકાય. અંતે સોશિયલ મીડિયામાં પ્રશંસાની જગ્યાએ ડોક્ટર સાહેબની ફજેતી થતાં તેમણે ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.


ભાજપના આઈટી સેલની કરુણ ઘટના પર ગંદી ક્રિએટિવિટી 

ભાજપના આઈટી સેલના ડોક્ટર પંકજ શુક્લાએ ટ્વીટ કરી છે કે આ ઘટના છે કે કાવતરું? તેમણે ફોટો લગાવ્યો છે જેમાં લખાયું છે કે તો શું દિલ્લીની જેમ ગુજરાતમાં પણ રાજકીય લાભ માટે આગ લગાડવામાં આવી રહી છે? આ ફોટો અંદર વંદે ભારત એક્સપ્રેસ સાથે પશુ અથડાયું હોય તેવો ફોટો છે, દિવાળીમાં વડોદરામાં જે સાંપ્રદાયિક ઘટના ઘટી હતી તેનો ફોટો છે. મોરબી બ્રીજનો અકસ્માત છે અને ચોથો આમ આદમી પાર્ટીના નેતા મામલે લખાયું છે કે અકસ્માત પછી તરત જ વીડિયો પોસ્ટ કરવા માટે આપના નેતા તૈયાર બેઠેલા હોય છે. 


આ નેતાઓ એક થઈ કામગીરી કેમ નથી કરતા?

અત્યારે સમય છે તમામ પક્ષો એક થઈ ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને સંવેદના મળે તેવી કોઈ કામગીરી કરવાનો. કોઈ પણ પાર્ટી હોય રાજકીય લાભ લેવા માટે પહોંચી જતી હોય છે. ત્યાં રાજકીય નિવેદનો ના આપે ત્યાં સુધી બધુ સારું હોય છે પણ ત્યાં જો ભાજપ-કોંગ્રેસની કે ભાજપ-આપની કે ભાજપ-આપની કે કોંગ્રેસ-આપની રાજનીતિ શરૂ કરી દેય છે. આ તો મૃતકોનું અપમાન કહેવાય. ભાજપનું આઈટી સેલ સરકારની સારી યોજનાનો પ્રચાર પ્રસાર કરે ત્યાં સુધી બધુ ઠીક છે પણ આવી કરુણ ઘટના પર રાજનીતિ? શરમ આવવી જોઈએ, ગુજરાતની અંદર 130થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. કોઈ નાની સૂની વાત હોય તો ઠીક છે પણ આટલી મોટી દુર્ઘટનાનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. નેતાઓ જે પોતે જવાબદાર છે તેઓ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે. કોઈની બેન નથી મળી રહી, કોઈના પતિ નથી મળી રહ્યા, કોઈના ભાઈ ગુમ છે, કોઈના મા-બાપ નથી મળી રહ્યા, કોઈને બ્લડ નહોતું મળી રહ્યું, કોઈને એમ્બ્યુલન્સની જરૂર હતી, સારવાર માટે સહાય જાહેર કરી છે પરંતુ નાના લોકો જે ઈજા પામ્યા છે તેમની પાસે સારવાર ના રૂપિયા નહોતા, આ બધા મામલે કામગીરી કરવાની જગ્યાએ આટલું ગંદુ રાજકારણ કેમ કરવામાં આવી રહ્યું છે તે આશ્ચર્યની વાત છે. આવી કરૂણ ઘટના જેમાં મોરબી આખું ઉંઘી નથી શક્યું, ગુજરાત નથી ઉંઘી શક્યું તે દરમિયાન જવાબદારને જવાબદારી સ્વીકારવી જોઈએ અને કસૂરવારને કડકમાં કડક દંડ કરવો જોઈએ. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.