Vadodaraમાં Instagramનાં Liveએ બબાલ ઊભી કરી! બે કોમ વચ્ચે પથ્થરમારો, જાણો કેવી રીતે થઈ આ બબાલ?


  • Published By :
  • Published Date : 2024-02-23 16:11:45

સોશિયલ મીડિયા આમ તો લોકોને જોડતું માધ્યમ છે પરંતુ અનેક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી પરિસ્થિતિ વણસી જાય છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટને કારણે જૂથ અથડામણ થતી હોય છે. આમ તો લોકો અત્યારે સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકનો ઉપયોગ કરતાં હોય છે પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે એની કોઈ પોસ્ટ કોઈના ઝઘડાનું કારણ બને કે પછી એના કારણે જૂથ અથડામણ થાય એવું ભાગ્યેજ બનતું હશે પણ એવી ઘટના વડોદરાથી સામે આવી છે.   

ધાર્મિક લાગણી દુભાય તેવી કરવામાં આવી પોસ્ટ! 

વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે.  21 ફેબ્રુઆરીએ જતીનભાઇ અર્જુનભાઈ પટેલ નામના વ્યક્તિ જે મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે તેમણે દુકાનની ઓફરો ગ્રાહકોને જણાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કર્યું હતું અને ગ્રાહકોને જય શ્રીરામ કહીને શુભેચ્છા પાઠવી ઓફરની જાહેરાત કરી. ત્યારે sahid-patel-7070 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી કોમેન્ટ કરવામાં આવી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

આ આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી બિભત્સ ગાળ લખી ત્યારે આ કોમેન્ટ જોઈ જતીનભાઇ પટેલે તપાસ કરતા અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પાદરા તાલુકાના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો સહીદ પટેલ હોવાનું જાણવા મળ્યું પછી સહીદ સાથે ફોન પર વાત કરી તો તેને દાદાગીરી કરી ધાક ધમકી આપતા જતીન ભાઇ પટેલે તેની સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આખો મામલો બહાર આવ્યો

ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો પથ્થરમારો!  

આ ઘટના બાદ હિન્દુ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા મોડી રાત્રે નવાપુરા પોલીસ મથક બહાર એકઠા થઈ ગયા હતા અને ત્યાં જય શ્રી રામના નારા લગાવી આરોપી સહીદ પટેલની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ તેવી જીદ પકડી એટલે વાત વધારે બગડી અને વિરોધ કરી રહેલા લોકો સામે પથ્થરમારો થયો ટોળાને વિખેરી મામલો થાળે પાડીને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જોવું રહ્યું આ ઘટનામાં આગળ શું થાય છે?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.