રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ વધી, સરકારે વિધાનસભામાં આપી આ જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-24 16:52:42

રાજ્યની જેલોમાં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ આજે વિધાનસભામાં કસ્ટોડિયન ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના કેટલા બનાવો બન્યા તે અંગે સવાલ કર્યો હતો.


જેલોમાં કેટલા કસ્ટોડીયલ ડેથ થયા?


કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં સરકારને સવાલ કર્યો હતો કે બે વર્ષમાં પોલીસ કસ્ટડી અને રાજ્યની જેલમાં સજા ભોગવતા કેટલા કેદીઓના મોત થયા છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ તે પણ કર્યો હતો કે કસ્ટોડિયલ ડેથના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેવા કેવા પગલા રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે. તેમણે સરકારને તે પ્રશ્ન પણ પુછ્યો હતો કે કસ્ટોડિયલ ડેથ થયેલા કેદીઓને કેટલી સહાય ચુકવવામાં આવી છે અને કેટલી સહાય ચુકવવાની બાકી છે?


સરકારે આપ્યો આ જવાબ


સરકારે અર્જુન મોઢવાડીયાના સવાલનો જવાબ આપતાં જણાવ્યુ હતું કે, ગુજરાત રાજયમા 2021માં પોલીસ કસ્ટોડિયન્સમાં 21 અને જેલ કસ્ટોડિયલ 79 મોત નોધાયા છે. વર્ષ 2022માં પોલીસ કસ્ટોડિયાના 14 અને જેલ કસ્ટડીમાં 75 મોત નોંધાયા છે. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન 189 જેટલા કસ્ટોડિયલ ડેથ સરકારી ચોપડે નોધાયા છે. 31 માર્ચ 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં થયેલા કસ્ટોડિયલ ડેથમા 2022 ના વર્ષ દરમિયાન 89 જેટલા કસ્ટોડિયન ડેથ નોંધાયા છે આ તમામના વારસદારોને 17 લાખની ચુકવણી કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારે સ્વિકાર્યુ છે.


કેટલા અધિકારીઓ સામે કાર્યવાહી?


આ સિવાય કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારીઓ સામે ફરજ મોકુફી ખાતાકીય રાહે શિક્ષા, ખાતાકીય તપાસ,જવાબદાર વિરોધ ગુનાઓ નોંધવામાં આવેલા છે. કેટલાક કિસ્સામાં પોલીસ અધિકારી કે કર્મચારીને ફરજમાંથી મુક્ત કરવાની સજા કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.