દેશની આ જાયન્ટ IT કંપનીએ 600 લોકોની કરી હકાલપટ્ટી, છટણીનું કારણ જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-02-05 17:58:25

દેશની આઈટી જાયન્ટ ઈન્ફોસિસે ઈન્ટરનલ ફ્રેશર એસેસમેન્ટ (FA) પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહેવા બદલ સેંકડો નવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. રિપોર્ટ મુજબ, કંપનીએ ફ્રેશર્સ માટે એસેસમેન્ટ ટેસ્ટ યોજી હતી, જેમાં પાસ ન થનારા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આર્થિક મંદીના કારણે દુનિયાભરમાં કંપનીઓ છટણી કરી રહી છે. મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે તેમના કાર્યબળમાં ઘટાડો કર્યો છે.


માત્ર 60 લોકો પાસ થયા


ઓગસ્ટ 2022માં કંપનીમાં જોડાનાર એક ફ્રેશરે કહ્યું- 'મેં ગયા વર્ષે ઓગસ્ટમાં ઇન્ફોસિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને મને SAP ABAP સ્ટ્રીમ માટે તાલીમ આપવામાં આવી હતી. મારી ટીમના 150 લોકોમાંથી માત્ર 60 લોકોએ જ ફ્રેશર એસેસમેન્ટ પરીક્ષા પાસ કરી. અમને બાકીના બધાને બે અઠવાડિયા પહેલા કાઢી મૂકવામાં આવ્યા હતા.


જુલાઈમાં પણ કરાઈ હતી હકાલપટ્ટી


અગાઉની બેચ (જુલાઈ 2022માં ફ્રેશર્સ ઓનબોર્ડ) 150 ફ્રેશર્સની હતી. જેમાંથી 85 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. કંપનીએ એસેસમેન્ટ ટેસ્ટ પાસ ન કરનારા સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોનો દાવો છે કે ઈન્ફોસિસે ઈન્ટરનલ ટેસ્ટમાં ફેલ થયા બાદ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

બે અઠવાડિયા પહેલા, 208 ફ્રેશર્સને ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટમાં નાપાસ થવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. એકંદરે, છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 600 જેટલા ફ્રેશર્સને ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું છે કે આંતરિક પરિક્ષામાં નાપાસ થનાર કર્મચારીઓને હંમેશા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.