મોંઘવારી આસમાને, ગૃહિણીઓનું બજેટ બગડશે! આ બે કારણોથી પરિસ્થિતી વણસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 20:14:54


દેશના કેટલાક રાજ્યોમાં આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મુશળધાર વરસાદ થયો છે. આ વરસાદથી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ડાંગરના પાક પર ખુબ ખરાબ અસર થઈ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થયેલા વરસાદને કારણે ડાંગરના 20 થી 30 ટકા પાકને નુકસાન થયું છે. એટલું જ નહીં, સરકારનો રાશનનો સ્ટોક પણ ગત વર્ષની તુલનામાં અડધો થઈ ગયો છે.



ઉત્તર ભારતમાં વરસાદથી કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન


ઉત્તર ભારતમાં ભારે વરસાદથી કૃષિ પાકને નુકસાન થતા અનાજની અછત સર્જાશે, તેના કારણે  ખાદ્ય મોંઘવારી ખુબ વધી શકે છે, જે બે વર્ષની ટોચે છે. આ ઉપરાંત શાકભાજી, દૂધ, કઠોળ અને તેલના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે. આ વસ્તુઓ કન્ઝ્યુમર ઈન્ડેક્સમાં ચોથા ભાગનું યોગદાન આપે છે. આનો અર્થ એ થયો કે આગામી મહિનાઓમાં મોંઘવારીના ઈન્ડેક્સમાં પણ ઉછાળો આવશે.


'મોંઘવારી આસમાને પણ પગારમાં વધારો નહીં'


આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દ્વારા દરમાં થોડો વધારો કરવામાં આવી શકે છે. જો કે આનાથી મોંઘવારી કેટલી ઘટશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી. ખાસ કરીને, આ પગલાંથી ખાદ્યપદાર્થોના ફુગાવાને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે. નિષ્ણાતો માને છે કે નબળા વર્ગની આવકની સરખામણીમાં મોંઘવારી ખુબ જ ઝડપથી  વધી છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ગરીબો માટે સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર 8.1 ટકા રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 20 ટકા અમીર લોકો માટે તે 7.2 ટકા છે. આના પરથી આપણે સમજી શકીએ છીએ કે મોંઘવારીથી કયા વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.