ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ રાજભા ઝાલા શું આમ આદમી પાર્ટીથી છે નારાજ?


  • Published By :
  • Published Date : 2022-11-05 10:43:11

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. છેલ્લાં ઘણા સમયથી પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમની સાથે ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવે છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં દબદબો ધરાવનાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટીથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. 


ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ રાજભા ઝાલા પાર્ટીથી છે નારાજ હોવાની ચર્ચા  

આમ આદમી પાર્ટીએ આજે પોતાના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં તેઓ હાજર ન રહ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ ઈન્દ્રશીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલા પાર્ટીથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રદેશના નેતાઓ દ્વારા સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે જેને લઈ તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. ઉપરાંત ટિકિટને લઈને પણ તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત સોશિયલ મીડિયા પર તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.            




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.