અમેરિકાના કેલિફોર્નિયામાં થયું અંધાધૂધ ફાયરિંગ. ચાઈનીઝ ન્યૂયરની ઉજવણી માટે એકત્ર થયા હતા લોકો


  • Published By :
  • Published Date : 2023-01-22 16:43:10

અમેરિકામાં છાશવારે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. ફાયરિંગને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ચીની નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્રિત થયા હતા ત્યાં ફાયરિંગ થયું હતું અને આ ઘટનામાં અંદાજીત 10 જેટલા કે તેથી વધારે લોકોના મોત થયા છે.


10 જેટલા લોકોના થયા મોત 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં અંધાધૂધ ફાયરિંગ થઈ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ બની હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે કેલિફોર્નિયામાં એક અંધાધૂધ ફાયરિંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અંદાજીત 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અંદાજીત 16 જેટલા લોકોને ગોળી વાગી છે.  


નવા વર્ષની ઉજવણી દરમિયાન કરાઈ ફાયરિંગ 

મળતી માહિતી અનુસાર આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવાર રાત્રે આ ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. આ પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી કરવા લોકો એકત્ર થયા હતા. ત્યાં આવીને એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કરી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 16 જેટલા લોકો ઘાયલ થયા છે.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.