ઈંડિગો એરલાઈન્સ ફરી આવી ચર્ચામાં, જાણો પેસેન્જરે ફ્લાઈટમાં એવી શું હરકત કરી કે તેની વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-31 17:35:16

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી કિસ્સાઓ સામે અવારનવાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે ફરી એક વખત ફ્લાઈટથી ન્યુઝ સામે આવી છે જેમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી હતી. ફ્લાઈટમાં સિગરેટ પીવાની કોઈ સુવિધા નથી હોતી. એટલે જ્યારે પેસેન્જરે સિગરેટને સળગાવી ત્યારે ફાયર એલાર્મ વાગ્યું હતું. જેને લઈ ફ્લાઈટમાં હોબાળો થયો હતો. આ સમગ્ર ઘટના ઈન્ડિગો ફ્લાઈટમાં બની હતી. 


ફ્લાઈટમાં પેસેન્જરે સળગાવી દીધી સિગરેટ 

ફરી એક વખત ઈન્ડિગો ફ્લાઈટ ચર્ચામાં આવી છે. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ફ્લાઈટમાં એક પેસેન્જરે હોબાળો કર્યો હતો. ફ્લાઈટમાં સ્મોકિંગ કરવાની મનાઈ હોય છે. પરંતુ આ પેસેન્જરે ટોઈલેટમાં જઈ સિગરેટ સળગાવી દીધી. જેને કારણે ફાયર એલાર્મ વાગ્યું. ફાયર એલાર્મ વાગતા ક્રૂ મેમ્બર અને પેસેન્જરો એલર્ટ થઈ ગયા હતા. 


પેસેન્જર વિરૂદ્ધ કરવામાં  આવી કાર્યવાહી 

ફાયર એલાર્મ વાગતા ઉડતી ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે એક પેસેન્જર ટોઈલેટમાં બેસી સિગરેટ પી રહ્યો હતો. તરત જ સિગરેટને બુઝાવી દેવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થતા જ પેસેન્જરને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. પેસેન્જર વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને મળતી માહિતી અનુસાર પેસેન્જરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.    

  

આ પહેલા પણ ઈન્ડિગો ફ્લાઈટ આવી છે ચર્ચામાં 

નશામાં ધૂત પેસેન્જરો એવી હરકતો કરી દેતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. 26 માર્ચે ગુવાહટીથી દિલ્હી જઈ રહેલી ઈંડિગોની ફ્લાઈટમાં એક પેસેન્જરે ઉલટી કરી લીધી હતી. તે પહેલા પણ 26 નવેમ્બરે પણ એવી ઘટના બની હતી જેની ચર્ચાઓ અનેક જગ્યાઓ પર થઈ હતી. નશામાં ધૂત એક પેસેન્જરે બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધી હતી. આ વાતને લઈ પણ ઘણો હોબાળો થયો હતો. પોલીસે પેસાબ કરનાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.    


જો પેસેન્જર સ્મોકિંગ કરતા પકડાય તો શું થાય કાર્યવાહી?

જો તમે ફ્લાઈટમાં સિગરેટ પીતા પકડાવ છો તો તમારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ફ્લાઈટમાં સ્મોકિંગને લઈને નિયમની વાત કરીએ તો ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1937ના સેક્શન 25માં જણાવાયું છે કે ફ્લાઈટમાં સ્મોકિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે તમે ફ્લાઈટમાં સ્મોકિંગ નહીં કરી શકો. જો કોઈ પેસેન્જર ધ્રૂમપાન કરતા ઝડપાય છે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાઈ શકે છે. નિયમો અનુસાર ફ્લાઈટમાં હંગામો કરવો, ધ્રૂમપાન કરવું, દુર્વ્યવહાર કરતા કોઈ પેસેન્જર પકડાય છે તો પેસેન્જરને મુસાફરી કરતા અટકાવાઈ શકાય છે. વિમાનમાંથી પણ ઉતારાઈ શકાય છે.   


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!