ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા અસક્ષમ: રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:38:09

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE

ભારતની 70% વસ્તી પૌષ્ટિક ખોરાક ખરીદી શકતી નથી. હાલમાં જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ મેગેઝીનના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. કુપોષણને કારણે થતા રોગોમાં શ્વસન સમસ્યાઓ, ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક અને કોરોનરી હૃદય રોગ વગેરેનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ અનુસાર, હેલ્ધી ડાયટમાં સામેલ  63 ટકા વસ્તુઓ ભારતના લોકોની પહોંચની બહાર છે.


કુપોષણથી 17 લાખ લોકોના મોત


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફળ, શાકભાજી અને માંસ જેવી ખાદ્ય વસ્તુઓ ખરીદવાનો ખર્ચ દેશની મોટી વસ્તીની ખરીદ શક્તીની બહાર છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2021 મુજબ, ભારતની 71% વસ્તી પોષણયુક્ત ખોરાક ખરીદવા માટે સક્ષમ નથી. આ કિસ્સામાં વિશ્વની સરેરાશ 42 ટકા છે. જો આપણે પૌષ્ટિક ખોરાકની વાત કરીએ તો તેમાં ફળો, શાકભાજી, સૂકા ફળો અને માંસ-માછલી વગેરેનો સમાવેશ થાય છે. કુપોષણ અને તેનાથી થતા રોગોના કારણે દેશભરમાં દર વર્ષે 17 લાખ લોકો મૃત્યુ પામે છે.


કુપોષણનું કારણ અસહ્ય મોંઘવારી


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતી જતી મોંઘવારીને કારણે છેલ્લા બે વર્ષમાં પૌષ્ટિક ખોરાક લોકોની પહોંચની બહાર છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ફુગાવો એક વર્ષમાં 327 ટકા વધ્યો છે. જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 84 ટકા વધ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માછલી, દૂધ-દહીં, ચીઝ અને માંસ વગેરેનું સેવન કરવું લોકોની પહોંચની બહાર થઈ ગયું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 20 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને રોજ માત્ર 36 ગ્રામ ફળ મળે છે, જ્યારે તે દરરોજ 200 ગ્રામ લેવું જોઈએ.


આ સાથે શાકભાજીનો જથ્થો દૈનિક 300 ગ્રામને બદલે માત્ર 168 ગ્રામ જ મળે છે. જો આપણે ખોરાક વિશે વાત કરીએ, તો ભારતની મોટાભાગની વસ્તી પોષક આહારના દૈનિક લક્ષ્યના એક ક્વાર્ટરને પણ પૂર્ણ કરવામાં અસમર્થ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં થોડો સુધારો થયો છે, પરંતુ લોકોને પૌષ્ટિક આહાર આપવાની કવાયત હજુ પણ સફળ થતી જણાતી નથી.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.