નેપાળ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોમાં ભારતીયોનો પણ થાય છે સમાવેશ, 68 મૃતદેહો મળી આવ્યા


  • Published By :
  • Published Date : 2023-01-16 12:49:08

નેપાળમાં ગઈ કાલે એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં 72 લોકો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. લેન્ડિંગ કરતી વખતે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. નેપાળ વિમાન ક્રેસમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. હજી સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ક્રેનની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં ભારતીયો પણ સવાર હતા. મળતી માહિતી અનુસાર પોસ્ટ મોર્ટમ બાદ ભારતીયોના શવને સોંપવામાં આવશે.


પ્લેનને કરવો પડ્યો અકસ્માતનો સામનો 

કાઠમાંડુથી પોખરા જતી ફ્લાઈટને અકસ્માત નડ્યો હતો. યેતિ એરલાઈન્સનું વિમાન હતું જેને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. દુર્ઘટના એટલો ભયંકર હતો કે પ્લેનમાં સવાર લોકો ન બચી શકે તેમ હતા. ઘટના સ્થળ પર જઈ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. લોકોને શોધવા મોટા મોટા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. ક્રેનની મદદથી પ્લેનને બહાર કાઢવામાં આવી રહ્યું છે. 


પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારને સોંપાશે મૃતદેહ

આ દુર્ઘટનાને પગલે નેપાળમાં એક દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લેનમાં ભારતના પણ પાંચ લોકો સવાર હતા. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરી પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જે શવોની ઓળખ નથી થઈ તે શવોને પણ હેલિકોપ્ટરના માધ્યમથી કાઠમાંડુ પહોંચાડવામાં આવશે. વિમાનમાં સફર કરનાર 72 લોકોમાંથી 66 લોકોના શવ મળી ચૂક્યા છે. અને તમામ શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે