ICC T20 World Cup માટે ભારતીય ટીમની કરાઈ જાહેરાત, જાણો કોને સોંપવામાં આવી કેપ્ટન તરીકેની જવાબદારી અને કોણ છે ખેલાડીઓ?


  • Published By :
  • Published Date : 2024-04-30 17:29:16

આપણે ત્યાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ હોય છે.. ગલીએ ગલીએ આપણને બાળકો ક્રિકેટ રમતા દેખાશે.. કોઈ પણ મેચ કેમ ના હોય પરંતુ ક્રિકેટ રસીકો તેને જોવાનું છોડતા નથી...ટી-20 હોય, આઈપીએલ હોય કે વન ડે મેચ હોય.. ક્રિકેટના ફેન્સને અનેરો ઉત્સાહ હોય છે.. ત્યારે આજે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે.. રોહિત શર્મા આ વખતે કેપ્ટનશિપ સંભાળવાના છે.. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી છે..

રોહિત શર્મા કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યા વાઈઝ કેપ્ટન

બીસીસીઆઈ દ્વારા ટી-20 વર્લ્ડ કપને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.. કયા ખેલાડી આ મેચમાં જોવા મળશે તે સસ્પેન્સ આજે ખુલી ગયો છે.. જૂનમાં આ મેચ રમાવાની છે અને આ મેચને લઈ ટિમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે.. આ મેચની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. અનેક નામો એવા હતા જેણે તમામને ચોંકાવ્યા હતા.. તાજેતરમાં રમાયેલી આઈપીએલમાં હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ સારૂં ના હતું, તેમને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 


  

કોની કરાઈ ખેલાડી તરીકે પસંદગી? 

ભારતીય ટીમના ખેલાડીઓની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માને બનાવાયો છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે.. યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વિકેટકીપર તરીકે રિષભ પંત ઉપરાંત સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજને મોકો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે