એક સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, 66% ભારતીય પાયલોટ વિમાનમાં સૂઈ જાય છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 18:17:54

ધારો કે તમે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા છો અને કોઈ તમને કહે કે પ્લેનનો પાયલોટ સૂઈ રહ્યો છે, ત્યારે તમારી શું હાલત થાય!. તાજેતરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ભારતીય એરલાઇન્સમાં કામ કરતા મોટાભાગના પાઇલોટ્સ ઊંઘી જાય છે અને તેમના સાથી ક્રૂ મેમ્બર્સને પણ જાણ કરતા નથી. આ સર્વેમાં 542 પાયલોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી 358એ આ વાત સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે થાકને કારણે તે કોકપીટમાં સૂઈ જાય છે.


આ સર્વે એક NGO 'સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન' દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટ માટે કામ કરતા પાઈલટોને સામેલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ પાઇલોટ 4 કલાક માટે ઉડાન ભરે છે. તેમના જણાવ્યા મુજબ, 54 ટકા પાઈલટોને દિવસ દરમિયાન ઊંઘવાની આદત હોય છે. જ્યારે 41 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક જ સૂઈ જાય છે.


પ્લેન ક્રેશ થવા પાછળનું સૌથી મોટું કારણ થાક છે


આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ પાયલોટનો થાક છે. અગાઉ પાઇલોટે અઠવાડિયામાં 30 કલાક ઉડાન ભરવાની રહેતી હતી. જો કે, હવે કામનું પ્રેસર એટલું વધી ગયું છે કે આખા અઠવાડિયા દરમિયાન બેક ટુ બેક ફ્લાઇટ્સમાં ઉડાન ભરવી પડે છે તેથી પાયલોટ વધુ તણાવ અને થાકમાં રહે છે. એરલાઇન્સ ઓછા કર્મચારીઓ પાસે વધુ કામ કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં પાઇલોટ્સ માટે કામના કલાકો પણ વધી ગયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે