એક સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, 66% ભારતીય પાયલોટ વિમાનમાં સૂઈ જાય છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 18:17:54

ધારો કે તમે પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા છો અને કોઈ તમને કહે કે પ્લેનનો પાયલોટ સૂઈ રહ્યો છે, ત્યારે તમારી શું હાલત થાય!. તાજેતરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ભારતીય એરલાઇન્સમાં કામ કરતા મોટાભાગના પાઇલોટ્સ ઊંઘી જાય છે અને તેમના સાથી ક્રૂ મેમ્બર્સને પણ જાણ કરતા નથી. આ સર્વેમાં 542 પાયલોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી 358એ આ વાત સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે થાકને કારણે તે કોકપીટમાં સૂઈ જાય છે.


આ સર્વે એક NGO 'સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન' દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ડોમેસ્ટિક ફ્લાઈટ માટે કામ કરતા પાઈલટોને સામેલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આ પાઇલોટ 4 કલાક માટે ઉડાન ભરે છે. તેમના જણાવ્યા મુજબ, 54 ટકા પાઈલટોને દિવસ દરમિયાન ઊંઘવાની આદત હોય છે. જ્યારે 41 ટકા એવા છે જેઓ ક્યારેક-ક્યારેક જ સૂઈ જાય છે.


પ્લેન ક્રેશ થવા પાછળનું સૌથી મોટું કારણ થાક છે


આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ પાયલોટનો થાક છે. અગાઉ પાઇલોટે અઠવાડિયામાં 30 કલાક ઉડાન ભરવાની રહેતી હતી. જો કે, હવે કામનું પ્રેસર એટલું વધી ગયું છે કે આખા અઠવાડિયા દરમિયાન બેક ટુ બેક ફ્લાઇટ્સમાં ઉડાન ભરવી પડે છે તેથી પાયલોટ વધુ તણાવ અને થાકમાં રહે છે. એરલાઇન્સ ઓછા કર્મચારીઓ પાસે વધુ કામ કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં પાઇલોટ્સ માટે કામના કલાકો પણ વધી ગયા છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.