એક દાયકામાં 70 હજાર ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા, 40% સાથે ગોવા મોખરે, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-06-27 20:40:06

છેલ્લા એક દાયકામાં લગભગ 70,000 ભારતીયોએ તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, 2011 અને 2022 વચ્ચે, 69,303 ભારતીયોએ દેશના વિવિધ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. પાસપોર્ટ સરેન્ડર કરનારા 90 ટકા લોકો ગોવા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, દિલ્હી અને ચંદીગઢના છે. એક અખબાર દ્વારા કરવામાં આવેલી RTI  (Right to Information)ના જવાબમાં MEA (વિદેશ મંત્રાલય) દ્વારા શેર કરવામાં આવેલા આંકડા મુજબ, 2011 અને 2022 વચ્ચે સરેન્ડર કરવામાં આવેલા 69,303 પાસપોર્ટમાંથી 40.45 ટકા ગોવામાં પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


કયા રાજ્યમાં કેટલા લોકોએ પાસપોર્ટ સરેન્ડર કર્યા?


ગોવામાં સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર થયા દેશમાં 69,303 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ 28,031 પાસપોર્ટ ગોવામાં સરન્ડર થયા હતા. આ પછી પંજાબનો નંબર આવે છે. પંજાબમાં (ચંદીગઢ યુટી સહિત) 9557એ આત્મસમર્પણ કર્યું. આ પાસપોર્ટ અમૃતસર, જલંધર અને ચંદીગઢમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા. પંજાબ પછી ગુજરાતનો નંબર આવે છે. ગુજરાતના અમદાવાદ અને સુરત આરપીઓમાં 8918 સરેન્ડર થયા હતા.મહારાષ્ટ્રમાં, 6545 લોકોએ નાગપુર, પુણે અને મુંબઈ/થાણે સ્થિત RPO પર તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. જો દેશના દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો અહીં પહેલો નંબર કેરળનો આવે છે. કેરળમાં 3650 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. તમિલનાડુમાં પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા 2946 છે.


પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા વધી


ભારતમાં RPOમાં સરેન્ડર કરાયેલા પાસપોર્ટનું વર્ષ મુજબનું વિશ્લેષણ દર્શાવે છે કે 2011માં માત્ર 239 પાસપોર્ટ સરેન્ડર થયા હતા, પરંતુ પછીના બે વર્ષમાં આ સંખ્યામાં વધારો થયો હતો. વર્ષ 2012માં 11,492 પાસપોર્ટ સરેન્ડર થયા હતા અને 2013માં 23,511 પાસપોર્ટ સરેન્ડર થયા હતા. વર્ષ 2012 અને 2013ને બાદ કરો તો, ગોવામાં દર વર્ષે સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. 2014 માં, સમગ્ર દેશમાં 90% પાસપોર્ટ ગોવાના RPOમાં સરેન્ડર કરવામાં આવ્યા હતા.


પોર્ટુગલ સાથેનું કનેક્શન એક મોટું કારણ 


ગોવાના લોકોએ સૌથી વધુ સંખ્યામાં તેમનો ભારતીય પાસપોર્ટ પાસપોર્ટ સરેન્ડર કર્યો છે. તેનું કારણ એ છે કે પોર્ટુગલ 1961 પહેલા ગોવામાં જન્મેલા લોકોને અને તેમની બે ભાવિ પેઢીઓને પોર્ટુગીઝ નાગરિક તરીકે રજિસ્ટર કરાવવાનો વિકલ્પ આપે છે. ગોવા વર્ષ 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. ઘણા દેશોમાં પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવતા લોકોને વિઝા-મુક્ત પ્રવેશ આપવામાં આવે છે. આ દેશોમાં UK અને EUનો પણ સમાવેશ થાય છે. પોર્ટુગલ 1986 થી EU (યુરોપિયન યુનિયન) નું સભ્ય છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.