જૂન 2024થી અંતરિક્ષમાં ફસાયેલ ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જલ્દી જ ધરતી પર પાછા ફરશે..


  • Published By :
  • Published Date : 2025-02-14 16:02:33

નાસા માટે કાર્યરત ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને આઈએસએસ(ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) જવા રવાના થયા હતા. તેઓને અંતરિક્ષમાં મહત્તમ 10 દિવસ જ રોકાવાનુ હતુ. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ યાનમાં કંઈક ટેકનિકલ ખામી હોવાની જાણ થતા તેઓ હજી સુધી પરત ન ફરી શક્યા અને આટલા લાંબા સમય સુધી તેમને અંતરિક્ષમાં રહેવું પડ્યુ. પરંતુ હાલ નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સ્પેસએક્સનું ક્રુ-10 મિશન તૈયાર છે અને આ વખતે કેપ્સુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી કરીને બંને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે ધરતી પર પાછા લાવી શકાય. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તેમજ પાછળથી ત્યાં પહોંચેલા અન્ય બે અંતરિક્ષયાત્રીઓ અંદાજિત તારીખ 12 માર્ચ 2025નાં રોજ ધરતી પર પાછા ફરશે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે, બાઈડન પ્રશાસનમાં બન્નેં યાત્રીઓને ધરતી પર પાછા લાવવા પુરતા પ્રયાસો જ કરવામાં આવ્યા નથી. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.