જૂન 2024થી અંતરિક્ષમાં ફસાયેલ ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જલ્દી જ ધરતી પર પાછા ફરશે..


  • Published By : Hetal Gadhvi
  • Published Date : 2025-02-14 16:02:33

નાસા માટે કાર્યરત ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ જૂન 2024માં બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને આઈએસએસ(ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) જવા રવાના થયા હતા. તેઓને અંતરિક્ષમાં મહત્તમ 10 દિવસ જ રોકાવાનુ હતુ. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ યાનમાં કંઈક ટેકનિકલ ખામી હોવાની જાણ થતા તેઓ હજી સુધી પરત ન ફરી શક્યા અને આટલા લાંબા સમય સુધી તેમને અંતરિક્ષમાં રહેવું પડ્યુ. પરંતુ હાલ નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સ્પેસએક્સનું ક્રુ-10 મિશન તૈયાર છે અને આ વખતે કેપ્સુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી કરીને બંને અંતરિક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે ધરતી પર પાછા લાવી શકાય. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તેમજ પાછળથી ત્યાં પહોંચેલા અન્ય બે અંતરિક્ષયાત્રીઓ અંદાજિત તારીખ 12 માર્ચ 2025નાં રોજ ધરતી પર પાછા ફરશે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે, બાઈડન પ્રશાસનમાં બન્નેં યાત્રીઓને ધરતી પર પાછા લાવવા પુરતા પ્રયાસો જ કરવામાં આવ્યા નથી. 



અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. અકસ્માત દરમિયાન વિમાનમાં સવાર પેસેન્જરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા.

બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા. માર્કેટીંગની ઘીનૌની રીત કે સીધે સીધુ અપમાન?

નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સ્પેસએક્સનું ક્રુ-10 મિશન તૈયાર છે, હવે ફરશે પાછા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર.

મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ ઉત્સવે તો પ્રેક્ષકોના મનનો મોહી લીધા હતા. ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો હતો. લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ 'ગુજરાતી ઉત્સવ' યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી.