ઈન્ડિયન નેવીનું દિલધડક ઓપરેશન, MV Lila Norfolk જહાજમાં ફસાયેલા 15 ભારતીયોનું સફળ રેસ્ક્યૂ


  • Published By :
  • Published Date : 2024-01-05 22:26:28

ભારતીય નૌકાદળે સોમાલિયા નજીક ચાંચિયાઓની ચુંગાલમાં ફસાયેલા એમવી લીલા નોરફોક જહાજમાં સવાર 15 ભારતીય ક્રૂ મેમ્બરને બચાવી લીધા છે. મરીન કમાંડો માર્કોસે (Marine Commando Marcos) સોમાલિયા (Somalia) પાસે અપહરણ કરાયેલ જહાજ (Cargo Ship Hijack) માંથી 15 લોકોને સુરક્ષિત છોડાવ્યા છે. મરીન કમાંડો માર્કોસ INS ચેન્નાઈ યુદ્ધ જહાજ સાથે 15 લોકોના જીવ બચાવવા માટે પહોંચ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ ઓપરેશન બાદ એમવી લીલા નોરફોકમાં સવાર 15 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. નેવી અધિકારીએ આ ઓપરેશન અંગે જણાવ્યું કે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હાઇજેક કરાયેલા જહાજમાં કુલ 21 ક્રૂ મેમ્બર સવાર હતા. દરેકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.


ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના


ભારતીય નૌકાદળની હિંમત અને તાકાતના કારણે આ ઓપરેશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, એમવી લીલા નોરફોક જહાજમાં સવાર ક્રૂ સહિત 15 ભારતીયો સુરક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે અરબી સમુદ્રમાં કાર્યરત ભારતીય યુદ્ધ જહાજોને ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.


ચાંચિયાઓની ચુંગાલમાં 15 ભારતીયો ફસાયા  


4 જાન્યુઆરીએ, એક દિવસ અગાઉ, યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ રિપોર્ટ આપ્યો હતો કે લાઇબેરિયન-ધ્વજવાળું કાર્ગો જહાજ એમવી લીલા નોર્ફોક હાઇજેક કરવામાં આવ્યું છે. UKMTO એ બ્રિટિશ લશ્કરી સંસ્થા છે. તે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે. હાઇજેક કરાયેલા આ જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર પણ હતા. આ પછી ભારતીય નૌકાદળ એક્શનમાં આવ્યું અને શુક્રવારે એટલે કે આજે તેના યુદ્ધ જહાજ INS ચેન્નાઈ સાથે આવી પહોંચ્યું. એવી માહિતી પણ મળી હતી કે જહાજમાં પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો સવાર હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.