દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ભારતીય નૌકાદળ દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-04 11:38:29

4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. નૌસેનાની સફળતા તેમજ વિરતાને યાદ રાખવા આ દિવસે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. 4 ડિસેમ્બરના રોજ 1971માં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં જ્યારે ભારત- પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય ત્યારે પાકિસ્તાને એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તેનો જવાબ આપવા ભારતની નૌકાદળે પાકિસ્તાન પાસે બોમ્બ વિસ્ફોટ કરી વિમાન ઉડાવી દીધું હતું. આ હુમલામાં પાકિસ્તાનના અનેક જવાનો મરી ગયા હતા. ભારતીય નૌસેનાના આ શૌર્યને યાદ રાખવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં  આવે છે.

નૌકાદળ News in Gujarati, Latest નૌકાદળ news, photos, videos | Zee News  Gujarati

આજે ભારતીય નૌકાદળ દિવસ. શું થયું હતું 1971 માં? દરિયાના પ્રખર પ્રહરી ભારતીય  નેવીની જાંબાઝ દાસ્તાન - Trending Gujarat

નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં છે પ્રખ્યાત

ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. લાંબી દરિયાઈ સીમા હોવાને કારણે તેની સુરક્ષા કરવી મુશ્કેલ થઈ જાય છે. પરંતુ ભારતીય નૌસેના આ કાર્યને ખૂબ સુંદર રીતે કરી રહી છે. નૌકાદળ ન માત્ર દરિયાઈ સીમાની રક્ષા કરે છે પરંતુ કુદરતી આફતમાં પણ તેઓ પોતાની ફરજ નિભાવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાને 1971માં જ્યારે ભારત પર હુમલો કર્યો હતો તે દરમિયાન પાકિસ્તાનને પરાજીત કરવામાં નૌકાદળે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના 

ભારતીય નૌકાદળની વીરતાને ઉપરાંત તેમના સાહસને પ્રોત્સાહન આપવા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળ દિવસ મનાવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપણા જવાનોને આ દિવસની શુભકામના પાઠવી છે. વીડિયો ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ તેમના અપાયેલા બલિદાનને યાદ કર્યા છે.              




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.