પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો સ્વદેશ પરત, માછીમારોના પરિવારોજનોમાં ખુશીનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-06-05 18:52:30

પાકિસ્તાનની કરાંચી જેલમાં બંધ 200 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. માછીમારોને ગુરુવારે પંજાબમાં અમૃતસર નજીક વાઘા બોર્ડર પર ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમૃતસરથી કોચુવેલી એક્સપ્રેસમાં બેસાડવામાં આવ્યા હતા. આજે તેઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. આજે વડોદરાથી આ તમામ માછીમારોને બસ મારફતે પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ માછીમારોને પાકિસ્તાન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષ 2019થી 2022 દરમિયાન અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ પકડીને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.


ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો


ભારત અને ગુજરાત સરકારના પ્રયાસોથી પાકિસ્તાનના કબ્જામાં રહેલા ગુજરાત રાજ્યની બોટોમાં પકડાયેલા ગુજરાતના 171 માછીમારો સહિત 200 માછીમારો ટ્રેન મારફતે ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાન જેલથી મુક્તિ બાદ માછીમારો 2 જૂને વાઘા બોર્ડર આવતાં ભારતીય સત્તા અધિકારીઓને સોંપવામાં આવ્યાં હતાં.


ગુજરાતના આ જિલ્લાના છે માછીમારો


આ માછીમારોમાંથી  171 માછીમારો ગુજરાતના છે. તેમાં પણ મોટાભાગના માછીમારો ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને જૂનાગઢ જિલ્લાના છે. જેઓે ગુજરાત મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ દ્વારા વડોદરાથી રવાના કરવામાં આવ્યા હતાં. આ માછીમારો પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં સબડતા હતા.171 માછીમારો વતન પરત ફરતા માછીમારોના પરિવારજનોમાં તથા માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છે.


અગાઉ 198 માછીમારો મુક્ત કરાયા હતા


એક મહિનાથી ઓછા સમયમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની આ બીજી બેચ સ્વદેશ આવી છે. પાકિસ્તાને ગયા મહિનાની 11 તારીખે ગુજરાતના 184 સહિત કુલ 198 માછીમારોને મુક્ત કર્યા હતા. આજે અન્ય 200ની આ બેચને ગુરુવારે કરાચીની લેન્ડી જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. એંધી ફાઉન્ડેશન, કરાચીની મદદથી, માછીમારો લાહોર જવા માટે ટ્રેનમાં ચડ્યા અને બીજા દિવસે લાહોરથી બસમાં વાઘા બોર્ડર પર લાવવામાં આવ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!