ભારતનો GDP દર 6.5 ટકા રહેશે, વધતી મોંઘવારી ચિંતાજનક: વિશ્વ બેંક


  • Published By :
  • Published Date : 2022-12-06 15:31:39

વિશ્વ બેંકએ ચાલું નાણાકિય વર્ષમાં ભારતનો વૃધ્ધી દર વધારીને 6.9 ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યો છે. ભારતે કડક નાણાકિય નિતી અપનાવી તથા કોમોડિટીના વધેલા ભાવના કારણે ભારતની આર્થિક વૃધ્ધી પર અસર થઈ છે. જો કે તેમ છતાં પણ ભારત સૌથી ઝડપથી વૃધ્ધી પ્રાપ્ત કરતી ઇકોનોમીમાં સામેલ થઈ શકે છે. વિકાશશીલ અર્થતંત્રોમાં ભારત આર્થિક વિકાસ રોકાણકારોનું મુખ્ય રોકાણ કેન્દ્ર બની શકે છે.


ભારતમાં મોંઘવારી 7.1 ટકા


આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2022-23માં સરેરાશ રિટેલ મોંઘવારી દર 7.1 ટકા રહી શકે છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ  (CPI) પર પર આધારીત મોંઘવારી દરમાં થોડી રાહત મળી શકે છે. પરંતું હવે કેન્દ્રિય મધ્યસ્થ બેંકએ 6 ટકા ના માન્ય સ્તરથી ઉપર છે. જે આ વર્ષે જાન્યુઆરીમાં 6 ટકાથી ઉપર છે. આરબીઆઈની નાણાકિય નિતી નક્કી કરતા સમયે રિટેલ મોંઘવારી દર પર પણ ધ્યાનમાં રાખે છે. ઓક્ટોમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી ઘટીને 6.77 ટકા પર આવી ગઈ છે. જે સપ્ટેમ્બર 2022માં 7.41 ટકા પર રહી હતી. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટવાથી મુખ્યરૂપથી મોંઘવારી દરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જો કે આ સતત 10 મહિનામાં આરબીઆઈના કંમ્ફર્ટ લેવલથી ઉપર રહ્યું છે


આરબીઆઈની બેઠક પર નજર


ભારતીય રિઝર્વ બેંકની નાણાકિય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક સોમવારે શરૂ થશે. બીઓબીના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવિસે કહ્યું કે આરબીઆઈ એવા સમયે તેના નાણાકિય નિતી રજુ કરશે જ્યારે જીડીપી વૃધ્ધી દર સુસ્ત પડી ગયો છે અને મોઘવારી હજુ પણ 6 ટકાની ઉપર યથાવત છે. જો  કે આ વખતે આરબીઆઈ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો તો કરશે પણ તે સંભવત  0.25-0.35 ટકા જેટલો જ હશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.