Australia સામે ભારતીય ક્રિકેટ ટીમ રમશે T20, Indian ટીમની કરાઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવને સોંપાઈ મહત્વની જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-21 08:48:27

19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં પરાજય પછી ફરી એક વખત ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટકરવાની છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. આ મેચમાં જે ખેલાડીઓ વર્લ્ડ કપની મેચમાં રમ્યા હતા તેને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન તરીકેની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

શું છે સમગ્ર કાર્યક્રમ?

23 નવેમ્બરથી વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. બીજી મેચનું આયોજન તિરૂવનંતપુરમમાં થશે, જ્યારે ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં યોજાવાની છે. પહેલી ડિસેમ્બરે રાયપુરમાં આ શ્રેણીની ચોથી મેચ જ્યારે 3 ડિસેમ્બરે આ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આ શ્રેણી અંતર્ગત મેચ બેંગલુરૂમાં રમાવાની છે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાથી રમાવાની છે. આ વખતની મેચમાં ભારતીય ટીમમાં અક્ષર પટેલ રમશે, મુકેશ કુમાર તેમજ અર્શદીપને તક આપવામાં આવી છે. 


 

ભારતીય ટીમના આ છે ખેલાડીઓ 

20 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી મેચને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમના નામ ઘોષિત કરવામાં આવ્યા છે. આ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામા આવી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડને  વાઈસ-કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાવામાં આવી છે. તે સિવાય ટીમમાં ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


     



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.