અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત થયા


  • Published By :
  • Published Date : 2023-03-16 20:06:23

અરુણાચલ પ્રદેશના બોમડિલામાં ગુરુવારે આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી બીઆર બોમરેડ્ડીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટના મોત થયા છે. શહિદ થયેલા પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંથ એનો મૃતદેહ ક્રેશ સ્થળ પરથી મળી આવ્યો છે. બંનેના મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં અંતિમ કાર્યવાહી કરવામાં આવી. સાંજે 4 વાગ્યાની આસપાસ લાશ મળી આવી હતી. આ દુર્ઘટના બાદ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ હેલિકોપ્ટરે 9:15 વાગ્યે અરુણાચલ પ્રદેશના બોમડિલા પાસે ઓપરેશનલ ફ્લાઇટ લીધી હતી અને તેના થોડા સમય બાદ જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. 


ચાર કલાકની જહેમત બાદ મળી લાશ


ચિતા હેલિકોપ્ટરના પાઈલોટ અને તેનો કાટમાળ શોધવા માટે ઈન્ડીયન આર્મી કામે લાગી હતી. 4 કલાકની જહેમત બાદ ચીની બોર્ડર પાસે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો જેમાં બન્ને પાઈલટની લાશ પણ મળી હતી. ગ્રામજનોએ દિરાંગમાં ક્રેશ થયેલું હેલિકોપ્ટર જોયું હતું અને જિલ્લા અધિકારીઓને જાણ કરી હતી. દિરાંગના બંગજાલેપના ગ્રામજનોએ બપોરે 12.30 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર શોધી કાઢ્યું હતું આ હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ તુટી પડ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.