ભારતે 2-1થી જીતી વન-ડે શ્રેણી, ત્રીજી અને નિર્ણાયક મેચમાં 200 રનથી જીતી મેચ


  • Published By :
  • Published Date : 2023-08-02 16:50:57

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝ પર ભારતીય ટીમે કબજો કર્યો છે, છેલ્લી અને નિર્ણાયક એવી ત્રીજી વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવી ભવ્ય વિજય હાંસિલ કર્યો છે, જેની સાથે ભારતીયે ટીમે 2-1થી વન-ડે શ્રેણી પણ પોતાના નામે કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીયે ટીમે આ પહેલા 1-0 થી ટેસ્ટ શ્રેણી જીતી હતી, ત્યારબાદ આજે 2-1થી વન-ડે શ્રેણી પણ જીતી છે, અને હવે ભારતીય ટીમની નજર આવનારી ટી20 શ્રેણી પર રહેવાની છે. 

ગિલ, ઈશાન, પંડ્યા અને સેમસનની ફિફ્ટીની મદદથી મળી જીત 


ત્રીજી અને નિર્ણાયક વન-ડેમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય વેસ્ટ ઈન્ડિઝની ટીમે કર્યો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે કુલ 351 રન સ્કોર બોર્ડ પર લગાવી દીધાં હતાં, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 70 રન, શુભમન ગિલે 85 રન, ઈશાન કિશને 77 રન અને સંજુ સેમસને 51 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 35 રન ફટકારીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અલ્ઝારી જોસેફ, ગુડાકેશ મોતી અને યાનિક કારિયાને એક-એક સફળતા મળી હતી.


ટેસ્ટ અને વન-ડે શ્રેણી જીત્યા બાદ ટી20 સીરીઝ જીતવા પર ભારતની નજર


વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે 2 મેચની ટેસ્ટ સીરીઝ 1-0થી અને 3 મેચની વન-ડે સીરીઝ 2-1થી પોતાને નામ કરી છે, જ્યારે હવે ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 5 મેચની ટી20 શ્રેણી પર રહેશે. આ ટી20 શ્રેણી 3 ઓગસ્ટથી શરુ થશે, જેમાં પહેલી મેચ 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં, બીજી અને ત્રીજી ટી20 મેચ અનુક્રમે 6 ઓગસ્ટ અને 8 ઓગસ્ટના રોજ ગુયાનામાં જ્યારે ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં રમાશે. જે માટેની સંભવત ટીમ બહાર પાડવામાં આવી છે. 


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીની સંભવિત ભારતીય ટીમ 


ભારત : ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટે કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશેન થોમસ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે