બુદ્ધ અને ગાંધીના ભારતમાં વિશ્વને મળશે શાંતિનો સંદેશઃ પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-11-16 22:33:51

ઈંડોનેશિયના બાલીમાં ગ્લોબલ-20ની બેઠક આજે પૂર્ણ થઈ છે. જી-20ના યજમાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આગામી વર્ષની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી હતી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દુનિયાની નજર હવે ભારત તરફ છે. દુનિયાને ભારત તરફથી આશા છે. 


G-20માં વિશ્વ નેતાઓ વચ્ચે મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક, ઈટલીના મહિલા પ્રધાનમંત્રી જૉર્જિયા મેલોની, યજમાન ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.  


આગામી વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં ભારત ગ્લોબલ-20 એટલે કે જી-20 બેઠકની યજમાની કરશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના ઉદયપુરમાં જી-20 બેઠકનું ઉદ્ઘાટન થશે. જી 20 બેઠકમાં વિવિધ દેશો સાથે ભારતની વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. વર્ષ 2024માં જી 20 બેઠકની યજમાની બ્રાઝીલ કરશે. અગાઉ ચર્ચા ચાલી રહી હતી કે નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં જી-20 બેઠક યોજી માસ્ટર સ્ટ્રોક રમશે. જેનાથી જમ્મુમાં ચાલી રહેલી આતંકવાદી પ્રક્રિયા દુનિયા સામે ખુલ્લી પડે, હવે ઉદયપુર, જોધપુર અને જયપુરમાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજાશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.