ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતના સ્થાને હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન


  • Published By :
  • Published Date : 2022-10-31 20:30:50


ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સમાપ્તિ બાદ ભારતીય ટીમ તરત જ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાની ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરી છે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ઓપનર કેએલ રાહુલ પણ આ પ્રવાસનો ભાગ નહીં હોય. ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે ફિનિશરની ભૂમિકા ભજવનાર અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.


શિખર ધવન ODI સીરીઝનો કેપ્ટન 



સોમવારે ટીમની જાહેરાત કરતા BCCIએ કહ્યું કે શિખર ધવન આ પ્રવાસમાં યોજાનારી ODI શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળશે, જ્યારે ઋષભ પંત બંને શ્રેણીમાં વાઇસ કેપ્ટન રહેશે. ભારતીય ટીમ 18 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20 મેચથી પ્રવાસની શરૂઆત કરશે. પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયા 18, 20 અને 22 નવેમ્બરે T20 મેચ રમશે અને ત્યારબાદ 25, 27 અને 30 નવેમ્બરે ODI મેચ રમશે.


ન્યુઝીલેન્ડ T20I માટે ટીમ ઇન્ડિયા:


હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મો. સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.


ન્યુઝીલેન્ડ ODI માટે ટીમ ઇન્ડિયા:


શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્ય કુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , દીપક ચાહર , કુલદીપ સેન , ઉમરાન મલિક.



કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની LG ને તેના IPO માટે બજાર નિયમનકાર SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે. ભારતીય બજારમાં લિસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે LGનો IPO દેશનો પાંચમો સૌથી મોટો ઇશ્યૂ હશે. આ જાહેર ઇશ્યૂ હેઠળ, પ્રમોટર કોરિયન કંપની લગભગ 10.18 કરોડ શેર વેચાણ માટે ઓફર કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન રશિયા-યુક્રેન યુદ્ધને લઇને ૩૦ દિવસનો સીઝફાયર કરવા માટે સેહમત થયા . આ યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયંકર છે . લાખો લોકોએ પોતાના સ્વજનો અને મકાનો ગુમાવી દીધા છે . હવે જોઈએ કે , ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધ અટકાવવામાં કેટલા સફળ થાય છે.

IPL 2025નો આગામી 22મી માર્ચથી શરૂ થશે. BCCI વિશ્વની મુખ્ય ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટના 18 વર્ષ થતા, તમામ 13 સ્થળો પર વિશેષ સમારંભનું આયોજન કરશે. દરેક સ્ટેડિયમમાં પ્રથમ મેચની શરૂઆતમાં રંગારંગ કાર્યક્રમોમાં વિવિધ કલાકાર પરફોર્મ કરશે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બેઉ અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે . જોકે આ અવકાશયાત્રા દરમ્યાન સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓ ખુબ જ વિશેષ છે. તેમણે જે પ્રયોગો કર્યા છે અને સ્પેસવોક કર્યું છે તે ખુબ જ મહત્વનું છે . સુનિતા વિલિયમ્સની આ બધી જ સિદ્ધિઓ બીજા મહિલા અવકાશયાત્રી કરતા ખુબ વિશેષ છે .