ભારતના વોન્ટેડ આતંકીની થઈ હત્યા! કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદિપ સિંહને ગોળી મારી ઠાર મરાયો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 11:37:04

કેનેડામાં હરદિપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેનેડામાં રહી રહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદિપને એક ગૂરૂદ્વારા નજીક ઠાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે તેને આતંકવાદી ઘોષિત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર બે અજ્ઞાત હુમલાવરોએ તેની પર હુમલો કર્યો, જે બાદ તેની મોત થઈ ગઈ હતી. મહત્વનું છે કે તે કેનેડિયન શીખ સંગઠન ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેની સાથે બીજા બે જણા પણ હતા. ત્યારે આ હુમલો કોણે કર્યો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.       


કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ કરતો હતો ષડયંત્ર!

નિજ્જર આતંકવાદી ખાલિસ્તાની સંગઠનના ચીફની કેનેડામાં હત્યા કરી દેવામાં આવી છે. ગોળી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે કેનેડામાં ગૂરૂ નાનક શીખ ગૂરદ્વારા પાસે બે અજાણ્યા બંદૂકધારી લોકોએ તેની ઉપર હુમલો કર્યો જેને કારણે તેનું મોત થઈ ગયું. મહત્વનું છે કે ઘણા સમયથી ભારત માટે ખતરોરૂપ બની રહ્યો હતો. કેનેડામાં રહી ભારત વિરૂદ્ધ આંતકી ષડયંત્ર કરી રહ્યો હતો. વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહમંત્રાલચ દ્વારા તેને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. પંજાબમાં પણ આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. મહત્વનું છે કે નિજ્જર પર 10 લાખ રુપિયાનું ઈનામ એનઆઈએ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે