આવી ગયું છે ભારતનું પહેલું UPI ATM મશીન, પૈસા કાઢવા માટે નહીં પડે ડેબિટ કાર્ડની જરૂર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-07 15:45:14

સમયની સાથે સાથે ટેક્નોલોજી પણ અપડેટ થઈ રહી છે. એક સમય હતો જ્યારે લોકો કેશ રાખતા હતા પરંતુ હવે ડિઝીટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકો વળી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ હવે લોકોની પહેલી પસંદ બન્યું છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો હજી પણ એવા છે જે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ નથી કરતા. ત્યારે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મદદથી યુપીઆઈ એટીએમની શરૂઆત થઈ છે. આમાં ડેબિટ કાર્ડની જરૂર નથી માત્ર યૂપીઆઈની મદદથી આસાનીથી પૈસા નીકાળી શકાય છે.  

આ કંપનીની મદદથી બનાવાયું છે આ એટીએમ 

દેશમાં યુપીઆઈ એટલે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસનો ઉપયોગ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટોનો ઉપયોહગ કરી કેશલેશ બની ગયા છે. ત્યારે જાપાનની Hitachi કંપનીએ નેશનલ પેમેંટ્સ  કોરપોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને પહેલું યૂપીઆઈ-એટીએમ લોન્ચ કર્યું છે. આમાં યુપીઆઈની મદદથી ગ્રાહક એટીએમમાંથી કેશ નીકાળી શકશે. ડિઝીટલાઈઝેશનમાં વધુ એક કદમ આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. 


પિયુષ ગોયલે વીડિયો કર્યો શેર 

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ એટીએમનો ઉપયોગ પાંચ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પિયુષ ગોયલે આનો વીડિયો શેર કર્યો છે. મહત્વનું છે કે એટીએમમાંથી કેશ ઉપાડવા માટે આપણને ડેબિટ કાર્ડની જરૂર પડે છે. જો ડેબિટ કાર્ડ ન હોય તો આપણે પૈસા નથી કાઢી શક્તા. ત્યારે હવે યૂપીઆઈની મદદથી આપણે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી કેશ નીકાળી શકીશું.


પૈસા નીકાળવાની આ રહી પ્રોસેસ... 

કેટલા પૈસા જોઈએ છે તેવી માહિતી કેવી રીતે એડ કરવાની તેવો પ્રશ્ન તમારા મનમાં ઉઠ્યો હશે. તો આ રહી આખી પ્રોસેસ જેને લઈ યુપીઆઈની મદદથી આપણે પૈસા કાઢી શકીશું. પહેલા એટીએમમાં કેટલા પૈસા ઉપાડવાના છે તે રકમ એન્ટર કરવાની. તે બાદ તમારી સમક્ષ QR-Code આવશે. કોડ દેખાયા બાદ તેને સ્કેન કરવાનું. તે બાદ યુપીઆઈ પીન એન્ટર કરવાની અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટીએમ મશીનમાંથી કેશ કલેટ્ક કરી લેવાનું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.