આવી ગયું છે ભારતનું પહેલું UPI ATM મશીન, પૈસા કાઢવા માટે નહીં પડે ડેબિટ કાર્ડની જરૂર, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 15:45:14

સમયની સાથે સાથે ટેક્નોલોજી પણ અપડેટ થઈ રહી છે. એક સમય હતો જ્યારે લોકો કેશ રાખતા હતા પરંતુ હવે ડિઝીટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકો વળી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટ હવે લોકોની પહેલી પસંદ બન્યું છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો હજી પણ એવા છે જે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ નથી કરતા. ત્યારે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મદદથી યુપીઆઈ એટીએમની શરૂઆત થઈ છે. આમાં ડેબિટ કાર્ડની જરૂર નથી માત્ર યૂપીઆઈની મદદથી આસાનીથી પૈસા નીકાળી શકાય છે.  

આ કંપનીની મદદથી બનાવાયું છે આ એટીએમ 

દેશમાં યુપીઆઈ એટલે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસનો ઉપયોગ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક લોકો ડિઝિટલ પેમેન્ટોનો ઉપયોહગ કરી કેશલેશ બની ગયા છે. ત્યારે જાપાનની Hitachi કંપનીએ નેશનલ પેમેંટ્સ  કોરપોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને પહેલું યૂપીઆઈ-એટીએમ લોન્ચ કર્યું છે. આમાં યુપીઆઈની મદદથી ગ્રાહક એટીએમમાંથી કેશ નીકાળી શકશે. ડિઝીટલાઈઝેશનમાં વધુ એક કદમ આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. 


પિયુષ ગોયલે વીડિયો કર્યો શેર 

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ એટીએમનો ઉપયોગ પાંચ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પિયુષ ગોયલે આનો વીડિયો શેર કર્યો છે. મહત્વનું છે કે એટીએમમાંથી કેશ ઉપાડવા માટે આપણને ડેબિટ કાર્ડની જરૂર પડે છે. જો ડેબિટ કાર્ડ ન હોય તો આપણે પૈસા નથી કાઢી શક્તા. ત્યારે હવે યૂપીઆઈની મદદથી આપણે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી કેશ નીકાળી શકીશું.


પૈસા નીકાળવાની આ રહી પ્રોસેસ... 

કેટલા પૈસા જોઈએ છે તેવી માહિતી કેવી રીતે એડ કરવાની તેવો પ્રશ્ન તમારા મનમાં ઉઠ્યો હશે. તો આ રહી આખી પ્રોસેસ જેને લઈ યુપીઆઈની મદદથી આપણે પૈસા કાઢી શકીશું. પહેલા એટીએમમાં કેટલા પૈસા ઉપાડવાના છે તે રકમ એન્ટર કરવાની. તે બાદ તમારી સમક્ષ QR-Code આવશે. કોડ દેખાયા બાદ તેને સ્કેન કરવાનું. તે બાદ યુપીઆઈ પીન એન્ટર કરવાની અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટીએમ મશીનમાંથી કેશ કલેટ્ક કરી લેવાનું.  



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.