ભારતના જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું નિધન, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-01-24 14:16:28

પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત એવા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષે નિધન થયું  છે. તેઓ ભારતના લે-કોર્બુઝિયર તરીકે જાણીતા હતા. અમદાવાદ ખાતે સ્થિત નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનનું નિધન થવાથી સ્થાપત્ય કળાના યુગનો અંત આવ્યો છે. 


અમદાવાદ-IIMની બનાવી હતી ડિઝાઈન 

બીવી જોષીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા શહેરોની ડિઝાઈન કરી છે. તે સિવાય અમદાવાદની ઓળખ બનનારી IIM-અમદાવાદની ડિઝાઈન કરી હતી. આર્કિટેક ક્ષેત્રમાં તેમણે અનેક યોગદાન આપ્યું છે. અમદાવાદની ગુફા, ફ્લેમ યુનિવર્સિટી. આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદયપુર, સેપ્ટ યુનિવર્સિટીના નિર્માણમાં તેમણે યોગદાન આપ્યું છે.      


અનેક એવોર્ડથી કરાયા છે સન્માનિત 

તેમના નિધન પર વડાપ્રધાન મોદીએ તેમજ મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. મુખ્યમંત્રીએ તેમને યાદ કરતા લખ્યું કે સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પદ્મભૂષણ બાલકૃષ્ણ દોષીજીના નિધન પર દુખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. બાલકૃષ્ણ દોશીને અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1976માં તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તે સિવાય ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ અપાયો હતો. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.