પાકિસ્તાનની જેલમાં કેટલા ભારતીયો કેદ છે? શાહબાઝ સરકારે ભારતને સોંપ્યું કેદીઓનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-07-02 13:21:49

પાકિસ્તાને શનિવારે દ્વિપક્ષીય કરાર હેઠળ અહીં ભારતીય હાઈ કમિશનને તેની જેલોમાં બંધ 42 નાગરિકો અને 266 માછીમારો સહિત કુલ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે. વિદેશ કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું બંને દેશો વચ્ચે કોન્સ્યુલર એક્સેસ પર 2008ના કરારની જોગવાઈઓને અનુરૂપ છે. રાજદ્વારી ઍક્સેસનો અર્થ એ છે કે દેશમાં વિદેશી નાગરિકને તેના દેશના દૂતાવાસ અધિકારીઓનો સંપર્ક કરવાનો અધિકાર છે.


પાકિસ્તાનની જેલમાં 308 ભારતીય કેદીઓ


વિદેશ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે "પાકિસ્તાન સરકારે શનિવારે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને પાકિસ્તાનની જેલોમાં બંધ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે," ભારત સરકારે પણ ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની કેદીઓની યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને સોંપી છે.” બંને દેશોએ એકબીજાના દેશમાં બંધ કેદીઓની યાદી શેર કરવા માટે કરાર કર્યો છે. તે અંતર્ગત ભારત અને પાકિસ્તાન એકબીજાને માહિતી આપે છે.


ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ કેદ 


આ યાદી અનુસાર, ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ છે, જેમાંથી 343 નાગરિકો અને 74 માછીમારો છે. ઈસ્લામાબાદે ભારત સરકારને પાકિસ્તાનના સજા પૂરી ચુકેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરવા અને તેમને સોંપવા માટે વિનંતી કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારતે પણ પાકિસ્તાનને વિનંતી કરી છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિકો અને માછીમારોની મુક્તિ સુધી  તેઓ તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.