ચીનને કાઉન્ટર કરવા માટે ભારત લદ્દાખમાં નવું એર ફિલ્ડ તૈયાર કરશે


  • Published By :
  • Published Date : 2022-10-27 21:33:11

ભારતી લદ્દાખ સરહદે ચીનનો સામનો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ભારત લદ્દાખના ન્યોમામાં એક નવા એર ફિલ્ડનું નિર્માણ કરશે. ન્યોમાં પૂર્વી લદ્દાખની એકદમ નજીક છે. આ વિસ્તારમાં ચીન પણ ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલપ કરી રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ચીનને કાઉન્ટર કરવામાં મદદ મળશે.


એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે


ભારતીય સેનાના અઘિકારીઓએ જણાવ્યું કે ભારત ખુબ ઝડપથી એલએસીથી 50 કિમી નજીક ફાઈટર વિમાનોના સંચાલન માટે ન્યોમા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડ અપગ્રેડેશન માટે નિર્માણકાર્ય શરૂ કરશે. ચીન સાથે ચાલી રહેલી તંગદીલી દરમિયાન ન્યોમા એર ફિલ્ડનો ઉપયોગ જવાનો અને સામગ્રીના પરિવહન માટે થઈ રહ્યો છે. આ હવાઈ ક્ષેત્રમાં ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને સી-130 જેવા સ્પેશિયલ ઓપરેશન્સ વિમાનોને પણ ઉતારી શકાય છે. આ એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે.


જવાનો અને સામગ્રીનું પરિવહન ઝડપી બનશે


એરફોર્સના ગ્રૂપ કેપ્ટન અજય રાઠીએ ન્યોમા જેવા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડનું મહત્વ સમજાવ્યું હતું, રાઠીએ કહ્યું ન્યોમા એલએસીની ખુબ નજીક હોવાથી તેનું સ્ટ્રેટેજીક મહત્વ ખુબ જ છે. તે લેહ અને એલએસી વચ્ચેના અંતરને ઘટાડે છે. આ એર ફિલ્ડ પૂર્વી લદ્દાખમાં જવાનો અને યુધ્ધ સામગ્રીના ટ્રાન્સફરને ઝડપી બનાવવા સક્ષમ બનાવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.