ભારતીય મૂળના લોકોએ વર્ષ 2022માં વિદેશથી 100 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:24:42

ભારતમાં વિદેશી હુંડિયામણનો સૌથી મોટો સ્ત્રોત ભારતીય મૂળના લોકો છે. અમેરિકા, કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, ઓમાન, સહિતના દેશોમાં રોજગારી માટે જતા ભારતના લોકો દર વર્ષે તેમની મહેતનની રકમ ભારત મોકલે છે. વર્ષ 2022માં જ ભારતીય મૂળના લોકોએ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. 


નિર્મલા સિતારમણે આપી જાણકારી


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું કે વર્ષ 2022ના દરમિયાન ભારતીયમૂળના લોકોએ લગભગ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. આ રકમ ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે. સીતારમણે ઈંદોરમાં આયોજીત પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના એક સત્ર દરમિયાન આ માહિતી આપી છે. તેમણે વધુ માહિતી આપી હતી કે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ 2022 દરમિયાન ભારતીય મૂળના લોકોએ વિદેશમાંથી લગભગ 100 અબજ ડોલર મોકલ્યા છે જે 2021ની તુલનામાં 12 ટકા છે. તેમણે જણાવ્યું કે નિષ્ણાતો માનતા હતા કે કોરોનાના કારણે ભારતીય મૂળના લોકો વિદેશમાં રોજગારી માટે નહીં જાય જો કે અગાઉની તુલનામાં વધુ લોકો વિદેશ પહોંચ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.