રઘુરામ રાજન ભારતીય અર્થતંત્ર અંગે ચિંતિંત, કહ્યું 'હિંદુ ગ્રોથ રેટ' એક ભયજનક બાબત


  • Published By :
  • Published Date : 2023-03-06 17:34:12

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને હિંદુ વૃદ્ધિ દરને લઈને ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું છે કે નબળા ખાનગી ક્ષેત્રના રોકાણ, ઊંચા વ્યાજ દરો અને ધીમા વૈશ્વિક વિકાસ દરને કારણે ભારત ખતરનાક રીતે હિંદુ વૃદ્ધિ દરની નજીક છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય અર્થતંત્રને લઈ ચિંતા વ્યક્ત કરી છે.   


5 ટકાની વૃધ્ધી પણ ખુશનસીબી


પૂર્વ આરબીઆઈ ગવર્નરને આગામી નાણાકિય વર્ષ (2023-24)માં ભારતની વૃધ્ધી દર અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રાજને કહ્યું કે  5 ટકાની વૃધ્ધી પણ મેળવી શકીએ તો આપણી ખુશનસીબી હશે. ઓક્ટોબર- ડિસેમ્બરના જીડીપી આંકડા બતાવે છે કે પહેલા છમાસિકમાં વૃધ્ધી નબળી રહેશે. તેમણે કહ્યું કે મારી આશંકા અકારણ નથી. આરબીઆઈએ ચાલુ નાણાકિય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં વધુ ઘટાડો એટલે કે 4.2 ટકાના વૃધ્ધી દરનું અનુમાન વ્યક્ત કર્યું છે.


સર્વિસ ક્ષેત્ર ચમકતું સેક્ટર


રઘુરામ રાજને કહ્યું કે આ સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની સરેરાશ વાર્ષિક 3 વર્ષ પહેલાની તુલનામાં 3.7 ટકા છે. આ જુની હિંદુ વૃધ્ધી દરની ખુબ જ જ નજીક છે. આ બાબત જ ભયભીત કરનારી છે, આપણે તેને સુધારવી પડશે. જો કે તે માનવું કે સરકાર માળખાગત મૂડીરોકાણના મારચે કામ કરી રહી છે પરંતું તે તે રોકાણની અસર જોવાનું હજી બાકી છે. તેમણે સર્વિસ સેક્ટરના પ્રદર્શનને ચમકતું સેક્ટર ગણાવ્યું હતું  જો કે તેમાં સરકારની કોઈ જ ખાસ ભૂમિકા નથી.


હિંદુ ગ્રોથ રેટ શું છે?


'હિન્દુ રેટ ઓફ ગ્રોથ' એ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેનો સંબંધ કોઈ ધર્મ સાથે નથી. આ શબ્દનો ઉપયોગ વારંવાર આર્થિક મંચોમાં થાય છે. હિંદુ ગ્રોથ રેટ શબ્દાવલીનો ઉપયોગ સૌપ્રથમ 1978માં ભારતીય અર્થશાસ્રી રાજ કૃષ્ણએ કર્યો હતો. ભારતીય અર્થતંત્રનો વૃધ્ધી દર 1950થી લઈને 1980 સુધી 4 ટકાના સૌથી નીચા સ્તરે રહી હતી, જેને હિંદુ રેટ ઓફ ગ્રોથ પણ કહેવામાં આવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.