વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, ભારત ઉર્જા સપ્તાહની કરાઈ શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-06 15:46:09

બેંગલૂરૂ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ધાટન કર્યું હતું. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે આ સેક્ટરમાં અભૂતપૂર્વ સંભાવનાઓ રહેલી છે. મહામારી અને યુદ્ધથી પ્રભાવિત હોવા છતાંય 2022માં ભારત એક ચમકતો સિતારો બન્યો છે. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ કુકિંગ સિસ્ટમ, બાયો ફ્યુલ અને અનબોટલ્ડ ડ્રેસને પણ લોંચ કર્યો હતો.

 


તુર્કીમાં બનેલી દુર્ઘટનાને કરી યાદ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈન્ડિયા એનર્જી વીક 2023ની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ તુર્કીમાં બનેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોની સંવેદના તુર્કી સાથે છે. તેમણે કહ્યું કે ભારત પર વિશ્વની નજર છે. આજના સમયમાં એનર્જી મોટું ફેક્ટર છે. લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. ભારતે દરેક પડકારોને પાર પાડ્યા છે. 

ચાર વસ્તુઓ પર વધારે ધ્યાન કરાશે કેન્દ્રીત

વધુમાં તેમણે કહ્યું કે 2030માં ઉર્જા ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ આવશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અમારી સરકાર ચાર મુખ્ય બિંદુઓ પર કામ કરશે.જેમાં એક વાત આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘરેલુ ચીજ વસ્તુઓની ખોજને અને પ્રોડક્શન પર વધારે ધ્યાન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન અને હાઈડ્રોઝનના માધ્યમથી ડીકાર્બોનાઈજેશનનું કામ પણ કરવામાં આવશે.  તેમણે કહ્યું કે ભારતમાં એનર્જીની જરૂરત અને માગ વધી રહ્યા છે. આવનાર સમયમાં અનેક શહેર બનશે. એનર્જીની માગ ભારતમાં સૌથી વધારે હશે. 2030 સુધી અનર્જી મિક્સમાં નેચરલ ગેસનો ભાગ વધારવા પર ધ્યાન આપવામાં આવશે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!