INDIA bloc meet: મમતાએ PM પદ માટે ખડગેના નામનો મૂક્યો પ્રસ્તાવ, ખડગેએ કરી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-12-19 19:42:33

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ની ચોથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાંથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પણ મમતાના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.


ખડગેએ પ્રસ્તાવ પર શું કહ્યું?


મંગળવારે દિલ્હીમાં આયોજિત I.N.D.I.A.ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ PM પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અન્ય કેટલાક નેતાઓએ પણ મમતાને સમર્થન આપ્યું હતું પરંતુ ખડગેએ કહ્યું હતું કે હવે ચૂંટણીઓ નજીક છે અને આપણે હવે તે જીતવા માટે કામ કરવું પડશે, PM ઉમેદવાર અંગે પછી જોઈશું. ખડગેએ કહ્યું કે પહેલા અમે સંખ્યા વધારીશું, પછી નક્કી કરીશું કે PM કોણ હશે.


સાથે મળીને ધરણા અને સભાઓ કરીશું-ખડગે 


ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે આ ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો હતો. બધાએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બધાએ એક થઈને નિર્ણય લીધો છે કે તેઓ દેશમાં એક સાથે 8-10 સભાઓ અને પ્રદર્શનો કરશે. જો તમામ નેતાઓ એક મંચ પર નહીં જોવા મળે તો લોકોને ખબર નહીં પડે કે તેઓ હવે એક સાથે છે. દેશમાં આ પહેલા ક્યારેય એક સાથે આટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, અમે તેના માટે લડીશું. તેમણે કહ્યું કે 22 ડિસેમ્બરે બધા મળીને તેનો વિરોધ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.