આસમાને પહોંચેલા ભાવને નિયંત્રિત કરવા કણકીની નિકાસ પર પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 12:00:48

ભારતમાં ચોખાની અછત અને તેના આસમાને પહોંચેલા ભાવને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે  કણકી (બ્રોકન રાઇસ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનો આ હુકમ આજથી અમલમાં આવશે. આ ઉપરાંત સરકારે બાસમતિ સિવાયના વિવિધ ગ્રેડના ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લગાવી છે. 


ડાંગરની રોપણી ઘટતા સરકાર જાગી


કૃષિ મંત્રાલયના અનુમાન મુજબ કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદ થવાથી  વર્તમાન ખરીફ સીઝનમાં ડાંગરની રોપણીનો વિસ્તાર  5.62 ટકા ઘટીને 383.99 લાખ હેક્ટર રહી ગયો છે. આ પરિસ્થિતીમાં દેશમાં ચોખાની ભારે અછત સર્જાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે 9 થી 15 સપ્ટેમ્બર સુધી, ફક્ત તે માલસામાનને જ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે જેઓ લોડ કરવામાં આવ્યા છે, બિલ કરવામાં આવ્યા છે અને પોર્ટ પર કસ્ટમ્સને પહોંચાડવામાં આવ્યા છે.

 

વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% 


ચીન પછી ભારત ચોખાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% છે. ભારતે 2021-22ના નાણાકીય વર્ષમાં 21.2 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમ્યાન નોન-બાસમતી ચોખાની નિકાસ $6.11 બિલિયન રહી હતી. ભારતે 2021-22માં વિશ્વના 150 થી વધુ દેશોમાં નોન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી.  આ તરફ કૃષિ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં ડાંગરનું વાવેતર 5.62% ઘટીને 383.99 લાખ હેક્ટર થઈ ગયું છે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે