Independence Day Celebration : PM Modiએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને કર્યા સંબોધિત, સાંભળો તેમના સંબોધનના મહત્વના મુદ્દા


  • Published By :
  • Published Date : 2023-08-15 10:41:26

દેશ આજે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. લાલ કિલ્લા પર પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક વાતો કરી હતી. અનેક જાહેરાતો કરી હતી. 10મી વખત લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી આપી છે. પહેલી ગેરંટી ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે. બીજી ગેરંટી શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા દેશવાસીઓને બેંક લોનમાં રાહત આપવા કાર્ય કરાશે. ત્રીજા વાયદાની વાત કરીએ તો સમગ્ર દેશમાં 10 હજારથી 25 હજાર જનઓષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.


મણિપુરનો પીએમ મોદી કર્યો પોતાના સંબોધનમાં ઉલ્લેખ

પોતના સંબોધનમાં પીએમ મોદીએ મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. મા-દીકરીઓના સન્માન સાથે ગડબડ થઈ હતી, પરંતુ આજે ત્યાંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુન સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકો સાથે છે. 


યુવા શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત 

દેશવાસીઓને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર તમામ બહાદુર જવાનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વીરોએ પોતાના જીવના બલિદાન આપી દેશને આઝાદી અપાવી છે. બલિદાન આપી વિરોએ ભારત માતાને આઝાદ કરાવ્યા હતા. યુવા શક્તિ પર વાત કરતા તેમણે કહ્યું કે આજે જે આપણે નિર્ણય લઈએ, તે 1000 વર્ષ સુધી આપણું ભાગ્ય લખે છે. આજે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે ભાગ્યે જ કોઈના ભાગ્યમાં હોય છે. મને યુવાશક્તિ પર વિશ્વાસ છે. યુવાનોએ વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહ્યા છે.  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્ત્રી સશક્તિકરણની વાત પણ કરી હતી.  ચંદ્રયાન-3 પ્રોજેક્ટનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. 


વિશ્વકર્મા જયંતી પર લોન્ચ થશે વિશ્વકર્મા યોજના 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક જાહેરાત કરી છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજાનાઓનો ઉલ્લેખ કર્યો હતો. નવી યોજનાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિશ્વકર્મા જયંતી પર 13થી 15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે અમે આવતા મહિનામાં વિશ્વકર્મા જયંતી પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું.  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.