Independence Day Celebration : PM Modiએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને કર્યા સંબોધિત, સાંભળો તેમના સંબોધનના મહત્વના મુદ્દા


  • Published By :
  • Published Date : 2023-08-15 10:41:26

દેશ આજે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. લાલ કિલ્લા પર પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક વાતો કરી હતી. અનેક જાહેરાતો કરી હતી. 10મી વખત લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી આપી છે. પહેલી ગેરંટી ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે. બીજી ગેરંટી શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા દેશવાસીઓને બેંક લોનમાં રાહત આપવા કાર્ય કરાશે. ત્રીજા વાયદાની વાત કરીએ તો સમગ્ર દેશમાં 10 હજારથી 25 હજાર જનઓષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.


મણિપુરનો પીએમ મોદી કર્યો પોતાના સંબોધનમાં ઉલ્લેખ

પોતના સંબોધનમાં પીએમ મોદીએ મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. મા-દીકરીઓના સન્માન સાથે ગડબડ થઈ હતી, પરંતુ આજે ત્યાંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુન સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકો સાથે છે. 


યુવા શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત 

દેશવાસીઓને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર તમામ બહાદુર જવાનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વીરોએ પોતાના જીવના બલિદાન આપી દેશને આઝાદી અપાવી છે. બલિદાન આપી વિરોએ ભારત માતાને આઝાદ કરાવ્યા હતા. યુવા શક્તિ પર વાત કરતા તેમણે કહ્યું કે આજે જે આપણે નિર્ણય લઈએ, તે 1000 વર્ષ સુધી આપણું ભાગ્ય લખે છે. આજે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે ભાગ્યે જ કોઈના ભાગ્યમાં હોય છે. મને યુવાશક્તિ પર વિશ્વાસ છે. યુવાનોએ વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહ્યા છે.  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્ત્રી સશક્તિકરણની વાત પણ કરી હતી.  ચંદ્રયાન-3 પ્રોજેક્ટનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. 


વિશ્વકર્મા જયંતી પર લોન્ચ થશે વિશ્વકર્મા યોજના 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક જાહેરાત કરી છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજાનાઓનો ઉલ્લેખ કર્યો હતો. નવી યોજનાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિશ્વકર્મા જયંતી પર 13થી 15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે અમે આવતા મહિનામાં વિશ્વકર્મા જયંતી પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.