IND vs SA 2nd Test: ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું, સિરિઝ 1-1થી ડ્રો; સિરાજ-બુમરાહ જીતના હીરો


  • Published By :
  • Published Date : 2024-01-04 21:35:43

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ સાત વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. જે બાદ ભારત 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. યજમાન ટીમે બીજા દાવમાં 173 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી.


ભારતે ઈતિહાસ રચ્યો


કેપટાઉન ટેસ્ટ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો છે. તેણે અહીં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે. કેપટાઉનમાં ભારતની આ સાતમી ટેસ્ટ મેચ હતી. અગાઉ તેને છમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે ટેસ્ટ ડ્રો થઈ હતી. ભારતે કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણીમાં પણ 1-1ની બરાબરી હાંસલ કરી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું છે. અગાઉ 2010-11માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


કેપ્ટન રોહિત શર્મા પીચથી નાખુશ 


રોહિતે મેચ બાદ કહ્યું, 'કેપટાઉનની પીચ ટેસ્ટ મેચ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી કોઈ ભારતીય પીચો વિશે ફરિયાદ ન કરે ત્યાં સુધી મને આવી પીચો પર રમવામાં કોઈ વાંધો નથી. ભારતના ટર્નિંગ ટ્રેકની અવારનવાર ટીકા થાય છે. વર્લ્ડ કપની ફાઈનલની પિચ પર પણ સવાલ ઉઠ્યા હતા. આઈસીસીએ આની તપાસ કરવી જોઈએ.


રોહિતે જીતનો શ્રેય આ ખેલાડીઓને આપ્યો


ટીમના વખાણ કરતા રોહિતે કહ્યું, 'તે સારી સિદ્ધિ રહી. અમારે સેન્ચુરિયનની ભૂલોમાંથી શીખવું જોઈતું હતું. જો કે અમે ખૂબ જ સારી વાપસી કરી, ખાસ કરીને અમારા બોલરોએ સારી બોલિંગ કરી, હું સિરાજ, બુમરાહ, મુકેશ અને પ્રસિધ્ધને શ્રેય આપવા માંગુ છું. જ્યારે પણ તમે અહીં આવો છો, તે પડકારજનક હોય છે. રોહિતે કહ્યું, 'અમે ભારતની બહાર ખૂબ સારું ક્રિકેટ રમ્યા છીએ, અમને તેના પર ખૂબ ગર્વ છે. અમને શ્રેણી જીતવી ગમશે. દક્ષિણ આફ્રિકા એક શાનદાર ટીમ છે, તેઓ હંમેશા અમને પડકાર આપે છે. અમે આ પ્રદર્શન પર ખૂબ ગર્વ અનુભવી શકીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે