IND vs BAN, T20 World Cup 2022: ભારત સામે બાંગ્લાદેશનો 5 રનથી પરાજય, સેમિફાઈનલમાં એન્ટ્રી નક્કી


  • Published By :
  • Published Date : 2022-11-02 18:39:59

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. રોહિત શર્મા અને કંપનીનો 5 રને વિજય થતા સમગ્ર દેશમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જો કે બાંગ્લાદેશ તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.


ભારતીય ક્રિકેટ ટીમનું પર્ફોર્મન્સ


ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ભારતે મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો. કોહલીએ 44 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલ 32 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી હસન મેહસુદે 3 જ્યારે શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અર્શદિપ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા.


વરસાદના કારણે મેચમાં વિક્ષેપ, બાંગ્લાદેશને 151 લક્ષ્ય મળ્યું


બાંગ્લાદેશે સાત ઓવરમાં વિના વિકેટ ગુમાવ્યે 66 રન બનાવ્યા હતા પણ વરસાદ પડતા મેચ રોકવી પડી હતી. બાંગ્લાદેશના લિટન દાસે 26 બોલમાં 59 રન જ્યારે નઝમુલ હુસૈન શંટો 7 રન બનાવીને રમી રહ્યા હતા. ડકવર્થ-લુઈશ પધ્ધતી હેઠળ બાંગ્લાદેશ 17 રનથી આગળ હતા. એટલે કે બાંગ્લાદેશએ 9 ઓવરમાં જીત માટે 85 રન બનાવવાના હતા.


ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી નક્કી


બાંગ્લાદેશ સામેની આજની મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ -2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે ભારતની સેમી ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબુત બની ગઈ છે.





થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!