રાજ્યમાં વધતો ઠંડીનો પ્રકોપ, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર!


  • Published By :
  • Published Date : 2023-01-23 12:37:02

રાજ્યમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શીત લહેરનો અહેસાસ ગુજરાતીઓને ફરી એક વખત થવાનો છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 7 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. નલિયામાં 5.4, ગાંધીનગરમાં 8.3, ડીસામાં 10.2, ભૂજમાં 9.6 તાપમાન નોંધાયું હતું. 


આવનાર દિવસોમાં ફૂંકાશે ઠંડા પવન

ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસનો વિરામ લીધો હતો. ગુજરાતીઓને ઠંડીથી આંશિક રાહત પણ મળી હતી. આવનાર દિવસોમાં તાપમાનનો પારો હજી ગગડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ માટે તૈયાર રહેવું પડશે. સૂસવાટા મારતા પવન સાથે ઠંડીનો અહેસાસ થવાનો છે. 


અનેક શહેરોમાં નોંધાશે 10 ડિગ્રીથી નીચે તાપમાન 

અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં તાપમાન 5.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે. ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયું હતું. આગામી 3 દિવસ ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રી આસપાસ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.