હાર્ટ એટેકનો વધતો ખતરો! જામનગરમાં હાર્ટ એટેકને કારણે ગયો ડોક્ટરનો જીવ! કોરોના બાદ વધી રહ્યા છે કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-06-06 13:59:24

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં એક તબિબનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  


હાર્ટના ડોક્ટરનું થયું હાર્ટ એટેકથી નિધન!

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો હૃદયહુમલાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હાર્ટ એટેકને કારણે 41 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટ એટેકથી સામાન્ય વ્યક્તિનું મોત નથી થયું પરંતુ હૃદયના ડોક્ટરનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ડો. ગૌરવ ગાંધીનું નિધન થતાં તબીબી જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  


ડોક્ટરના અચાનક નિધનથી તબીબી જગતમાં વ્યાપ્યો શોક!

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હૃદયહુમલાનો શિકાર બને છે. ત્યારે જામનગરમાં એક તબીબનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટના ડોક્ટર ડો. ગૌરવ ગાંધીનું મોત થતાં તબિબી દુનિયામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર રાત્રે જમ્યા બાદ ડો. સૂઈ ગયા પરંતુ સવારે તે બેભાન હાલતમાં મળ્યા હતા. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે કલાક સુધી તબીબની સારવાર ચાલી પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. આમ તો ડોક્ટર પોતાના ખાવા પીવા પર તેમજ દિલની કાળજી કેવી રીતે લેવી તેના પર વિશેષ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આ વખતે ડોક્ટરનું નિધન થયું છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. ડોક્ટરે પોતાના જીવન કાળ દરમિયાન 16 હજાર જેટલી હાર્ટ સર્જરી કરી હતી.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!