હાર્ટ એટેકનો વધતો ખતરો! જામનગરમાં હાર્ટ એટેકને કારણે ગયો ડોક્ટરનો જીવ! કોરોના બાદ વધી રહ્યા છે કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-06-06 13:59:24

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં એક તબિબનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  


હાર્ટના ડોક્ટરનું થયું હાર્ટ એટેકથી નિધન!

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો હૃદયહુમલાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હાર્ટ એટેકને કારણે 41 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટ એટેકથી સામાન્ય વ્યક્તિનું મોત નથી થયું પરંતુ હૃદયના ડોક્ટરનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ડો. ગૌરવ ગાંધીનું નિધન થતાં તબીબી જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  


ડોક્ટરના અચાનક નિધનથી તબીબી જગતમાં વ્યાપ્યો શોક!

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હૃદયહુમલાનો શિકાર બને છે. ત્યારે જામનગરમાં એક તબીબનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટના ડોક્ટર ડો. ગૌરવ ગાંધીનું મોત થતાં તબિબી દુનિયામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર રાત્રે જમ્યા બાદ ડો. સૂઈ ગયા પરંતુ સવારે તે બેભાન હાલતમાં મળ્યા હતા. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે કલાક સુધી તબીબની સારવાર ચાલી પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. આમ તો ડોક્ટર પોતાના ખાવા પીવા પર તેમજ દિલની કાળજી કેવી રીતે લેવી તેના પર વિશેષ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આ વખતે ડોક્ટરનું નિધન થયું છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. ડોક્ટરે પોતાના જીવન કાળ દરમિયાન 16 હજાર જેટલી હાર્ટ સર્જરી કરી હતી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.