ફેસ્ટિવ સિઝન આવતા ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનની વધારાઈ ફ્રીક્વન્સી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:43:57

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળી દરમિયાન પ્રવાસ કરનારા યાત્રીકોને મુશ્કેલી ન પડે તે માટે ઉત્તર-પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનને સપ્તાહમાં એક વખત દોડાવવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આ ટ્રેન દ્વારકા, રાજકોટ, મહેસાણા, આબુ રોડ, અજમેર, જયપુર સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. 

09523/Okha - Delhi Sarai Rohilla Special Fare SF Festivel Special - Okha to  Delhi Sarai Rohilla WR/Western Zone - Railway Enquiry


તહેવાર દરમિયાન વિશેષ ટ્રેનને દોડાવવાનો નિર્ણય 

તહેવારોની સિઝન ચાલું થઈ ગઈ છે. દિવાળીમાં બહારગામ ફરવા માટેનું પ્લાનિંગ પણ લોકોએ શરૂ કરી દીધું છે. દિવાળીના સમયે રેલવેમાં ભારે ઘસારો જોવા મળે છે. પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા લોકો રેલવેનો ઉપયોગ કરે છે. ત્યારે ફેસ્ટિવ સિઝન ચાલુ થતાં જ રેલવે વિભાગે વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી દીધી છે. અઠવાડિયામાં એક દિવસ ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી આ સ્પેશિયસ ટ્રેનને ચલાવવામાં આવશે.


Just Send Sms On Railway Enquiry Number 139 And Know Pnr Fare Seat  Availability Train Time Table And Tatkal Availability | રેલવે ઇન્ક્વાયરી  નંબર 139થી ટ્રેન ટાઈમ ટેબલ, ભાડું અને સીટની જાણકારી


મંગળવારે ઉપડશે ઓખા દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન

ટ્રેન નંબર 09523 અઠવાડિયામાં એક વખત પોતાનો પ્રવાસ  કરશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચાલનારી આ ટ્રેન કુલ 7 ટ્રીપ કરવાની છે. દર મંગળવારે સવારે 10 વાગ્યે ઉપડશે અને બુધવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચાડશે. આ વખતે ટ્રેનમાં વધારે ડબ્બાઓ મુકાવામાં આવશે. તહેવારો દરમિયાન પેસેન્જર સરળતાથી મુસાફરી કરી શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તહેવારોને કારણે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.