દિવાળીમાં મુસાફરો માટે સુવિધા વધારી, ગુજરાત ST નિગમ વધારશે બસો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 13:54:26

નવરાત્રીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને હવે દિવાળી નજીક આવી રહી છે ત્યારે દિવાળીનો તહેવાર મનાવા જતાં લોકો માટે ST નિગમ દ્વારા 19થી 24 ઓક્ટોમ્બર સુધી વધારાની 2300 બસો દોડાવવામાં આવશે. 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે.માત્ર સુરત અને અમદાવાદ જ નહીં રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. 


મુસાફરોને STની સુવિધા પૂરી પડશે .. 


દિવાળીમાં કોઈ પણ મુસાફરોને હાલાકીનો સામનોન કરવો પડે એટલે એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ મીડિયાને જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં બસ મળી રહે એ માટે અમારા તમામ વિભાગીય નિયમકો, તમામ ટ્રફિક અધિકારીઓ, તમામ ડેપો મેનેજરોને હેડ ક્વાર્ટરમાં રહીને ટ્રાફિક સુપરવાઈઝરોને બસ સ્ટેશન પર હાજર રાખીને એકસ્ટ્રા સંચાલન કરવા નિગમના ઉપાધ્યક્ષ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે.



તહેવારમાં વતન જવા વાળા મુસાફરો વધુ હોય છે 

તહેવારમાં વતન જવા વાળાની ભીડ વધતી જોય છે મોટા પ્રમાણમાં ટ્રેનોમાં 300થી વધુ વાઇટિંગ છે. મુસાફરોના ઘસારાને જોતા રેલવે પ્રશાસને 18 ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લગાવ્યા છે.જ્યારે પટના અને જબલપુર માટે સ્પેશિયલ દિવાળી ટ્રેન શરૂ કરવામાં આવી છે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.