હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં થયો વધારો, રાધનપુરમાં બસ ડ્રાઇવરનું અને સુરતમાં બાઇક પર જતા યુવાનનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By :
  • Published Date : 2023-04-10 13:10:15

હાર્ટ એટેકના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોઈ જીમ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટે છે. ત્યારે એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થયા છે. પાટણના રાધનપુરમાં એક એસટી બસ ડ્રાઈવરનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. રાધનપુરમાં એસટી કર્માચારી પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે. તે ઉપરાંત સુરતમાં પણ યુવકનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું છે.


એક જ દિવસમાં બે લોકોના થયા મોત 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કારણે મોત થતાં હોવાના આંકડામાં વધારો થઈ રહ્યો છે. નાની નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક નહીં પરંતુ બે કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બને છે તો કોઈ રમત રમતા કાળનો કોળિયો બને છે. ત્યારે હાર્ટ એટેકે બે લોકોના જીવ લીધા છે. સુરતમાં ચાલુ બાઈક દરમિયાન છાતીમાં દુખાવો યુવકને ઉપડ્યો હતો. યુવકનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું હતું. તો બીજી તરફ પાટણના  રાધનપુરમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર ડ્રાઈવરનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. 


હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં નોંધાયો વધારો  

આવા કિસ્સાઓ ઘણા સમયથી સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પીએસઆઈનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું હતું. વર્ષ 2022ની સરખામણી આ વર્ષમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. 2023માં 27 ટકા જેટલો વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2022માં 108ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા જ્યારે વર્ષ 2023માં 108ને હાર્ટ એટેક મામલે 5787 કોલ મળ્યા હતા. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ચિંતામાં વધારો થયો છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.