West Bengalમાં PM Modi, સંદેશખાલી ઘટનાને લઈ મમતા સરકાર પર સાધ્યું નિશાન! TMCને લઈ પીએમ મોદીએ કહી આ વાત સાંભળો


  • Published By :
  • Published Date : 2024-03-02 14:47:59

પીએમ મોદી હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યો છે. પ્રવાસના પ્રથમ દિવસે પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી હતી અને પછી રાજભવનમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ મમતા સરકાર પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા છે. સંદેશખાલીની ઘટનાને લઈ પીએમ મોદીએ મમતા સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. પ્રવાસના બીજા દિવસ પણ વડાપ્રધાન મોદીએ સંદેશખલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીંયા પોલીસ નહીં પરંતુ આરોપી નિર્ણય કરે છે કે તેમને ક્યારે સરેન્ડર કરવું છે, ક્યારે પકડાવું છે.

 


સંદેશખાલીને લઈ પીએમ મોદીએ સાધ્યું મમતા સરકાર પર નિશાન!

પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ઘણા સમયથી ચર્ચામાં છે. મહિલાઓ સાથે બનેલી ઘટના, ઈડી પર કરવામાં આવેલો હુમલો, વગેરે વગેરે.. સંદેશખાલીમાં બનેલી ઘટનાએ સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. તે બાદ થોડા દિવસો પહેલા શાહજહાં શેખની ધરપકડ પોલીસદ્વારા કરવામાં આવી હતી. 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં તે રહેશે.. સંદેશખાલીમાં જે ઘટના બની તેના વિશે આપણે જાણીએ છીએ. ત્યાં બનેલી ઘટનાને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ગઈકાલે પણ સંદેશખાલીને લઈ પીએમ મોદીએ પ્રહાર કર્યા હતા ત્યારે ફરી એક વખત આ મુદ્દાને લઈ પીએમ મોદીએ નિશાન સાધ્યું છે.

कोलकाता के राजभवन में शुक्रवार को प्रधानमंत्री नरेंद्र मोदी और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी की मुलाकात हुई।

પીએમ મોદીએ કહ્યું કે...   

પીએમ મોદીએ કહ્યું કે બંગાળની સ્થિતિ એવી છે કે અહીં પોલીસ નહીં પણ ગુનેગારો નક્કી કરે છે કે ક્યારે સરેન્ડર કરવું અને ક્યારે ધરપકડ કરવી. રાજ્ય સરકાર ઈચ્છતી ન હતી કે સંદેશખાલીના ગુનેગારોની ક્યારેય ધરપકડ થાય, પરંતુ તે બંગાળની મહિલા શક્તિ દુર્ગા બનીને ઊભી રહી. ભાજપનો એક કાર્યકર તેમની સાથે ઊભો રહ્યો અને સરકારને ઝુકવા મજબૂર કરી. તે સિવાય તેમણે કહ્યું કે આ ભૂમિ ભગવાન કૃષ્ણના સર્વોચ્ચ ઉપદેશક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. હું મહાપ્રભુના ચરણોમાં નમન કરું છું. 

મણિપુરમાં બનેલી ઘટનાને લઈ પીએમ મોદી ચૂપ શા માટે રહ્યા? 

મહત્વનું છે કે પીએમ મોદીના ભાષણને સાંભળ્યા બાદ એ પ્રશ્ન જરૂર થશે કે જો પીએમ મોદી સંદેશખાલી વિશે આટલું બોલી શકે છે તો મણિપુરમાં બનેલી ઘટના, મણિપુરમાં ફાટી નિકળેલી હિંસા વિશે કેમ નથી બોલતા? મણિપુરમાં ભાજપની સરકાર છે અને પશ્ચિમ બંગાળમાં ટીએસીની સરકાર છે એટલે? આ વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે