Vadodaraમાં ચા વાળા એ બનાવ્યો Modi બ્રીજ, લોકો જોતા જ રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 13:29:09

અનેક મહાન લોકોના નામ પર બ્રિજોના નામ આપવામાં આવતા હોય છે. આપણે અટલ બ્રિજ, નહેરૂ બ્રિજ જેવા બ્રિજો વિશે સાંભળ્યું છે બ્રિજને જોયા છે પરંતુ આજે તમને મોદી બ્રિજ બતાવવો છે. મોદી બ્રિજ વડોદરામાં આવેલો છે અને તેનું નિર્માણ એક ચા વાળાએ કર્યું છે. ચા વાળાએ કટાક્ષમાં આ બ્રિજ બનાવ્યો છે કારણ કે તેમની દુકાન આગળ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ ખોદકામ કર્યા બાદ કોઈને તે યાદ જ ના આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ખાડા પૂરવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગતું હતું જેને કારણે ચા વાળાએ પરેશાન થઈ ખોદકામ પર પાટિયું મૂકી દીધું અને નામ આપી દીધું મોદી બ્રિજ.

કટાક્ષમાં ચા વાળાએ નામ આપ્યું મોદી બ્રિજ!  

વડોદરાના છાણી વિસ્તારમાં એક ચાની લારીવાળાએ રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો અને કટાક્ષમાં ત્યાં નામ આપી દીધું મોદી બ્રિજ. વાત એમ હતી કે કોર્પોરેશને ખાનગી કંપનીઓને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી તો દીધી, પણ પછી એ જોવાનું ભૂલી ગયા કે એ ખાડા પૂર્યા કે નહીં? આ બધાથી લોકો પરેશાન થાય છે અને પછી કંઈક એવા દ્રશ્યો જોવા મળે છે છાણી વિસ્તારમાં પણ ખાનગી કંપની દ્વારા રોડની સાઈડ ઉપર ખોદકામ કરી દેવામાં આવ્યું હતું.



આડેધડ ખોદકામને કારણે લોકો થાય છે પરેશાન 

પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરણ ન કરાતા સાઈડ ઉપર ચાની લારી ચલાવતા ભાઈનું મગજ ફર્યું અને પાટિયું મૂકીને બ્રિજ બન્યો અને તેને મોદી બ્રિજ નામ આપ્યું. શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓ આવી વાતને કારણે પરેશાન થાય છે. ચાની લારી વાળા ભાઈએ અનેક વાર ફરિયાદ કરી કોર્પોરેશનમાં જઈ આવ્યા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું.  ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે. 



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે