Vadodaraમાં ચા વાળા એ બનાવ્યો Modi બ્રીજ, લોકો જોતા જ રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-26 13:29:09

અનેક મહાન લોકોના નામ પર બ્રિજોના નામ આપવામાં આવતા હોય છે. આપણે અટલ બ્રિજ, નહેરૂ બ્રિજ જેવા બ્રિજો વિશે સાંભળ્યું છે બ્રિજને જોયા છે પરંતુ આજે તમને મોદી બ્રિજ બતાવવો છે. મોદી બ્રિજ વડોદરામાં આવેલો છે અને તેનું નિર્માણ એક ચા વાળાએ કર્યું છે. ચા વાળાએ કટાક્ષમાં આ બ્રિજ બનાવ્યો છે કારણ કે તેમની દુકાન આગળ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ ખોદકામ કર્યા બાદ કોઈને તે યાદ જ ના આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ખાડા પૂરવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગતું હતું જેને કારણે ચા વાળાએ પરેશાન થઈ ખોદકામ પર પાટિયું મૂકી દીધું અને નામ આપી દીધું મોદી બ્રિજ.

કટાક્ષમાં ચા વાળાએ નામ આપ્યું મોદી બ્રિજ!  

વડોદરાના છાણી વિસ્તારમાં એક ચાની લારીવાળાએ રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો અને કટાક્ષમાં ત્યાં નામ આપી દીધું મોદી બ્રિજ. વાત એમ હતી કે કોર્પોરેશને ખાનગી કંપનીઓને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી તો દીધી, પણ પછી એ જોવાનું ભૂલી ગયા કે એ ખાડા પૂર્યા કે નહીં? આ બધાથી લોકો પરેશાન થાય છે અને પછી કંઈક એવા દ્રશ્યો જોવા મળે છે છાણી વિસ્તારમાં પણ ખાનગી કંપની દ્વારા રોડની સાઈડ ઉપર ખોદકામ કરી દેવામાં આવ્યું હતું.



આડેધડ ખોદકામને કારણે લોકો થાય છે પરેશાન 

પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરણ ન કરાતા સાઈડ ઉપર ચાની લારી ચલાવતા ભાઈનું મગજ ફર્યું અને પાટિયું મૂકીને બ્રિજ બન્યો અને તેને મોદી બ્રિજ નામ આપ્યું. શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓ આવી વાતને કારણે પરેશાન થાય છે. ચાની લારી વાળા ભાઈએ અનેક વાર ફરિયાદ કરી કોર્પોરેશનમાં જઈ આવ્યા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું.  ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.