ઉત્તરાખંડના જોશીમઠમાં ઈમારતો તોડવાની શરૂ થઈ પ્રક્રિયાા, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 16:56:11

જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભૂસ્ખલન થવાને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. ભૂસ્ખલનને કારણે લોકોના ઘરમાં તિરાડો પડી ગઈ હતી. 700થી વધારે ઘર પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા ઘરોને તોડવાની તજવીજ હાથ ધરી છે. અનેક ઈમારતોને ધારાશાઈ કરવામાં આવી છે. ઘર છોડવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 


દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે પરિસ્થિતિ

ઉત્તરાખંડમાં અનેક લોકો બેઘર થઈ જવાની કતાર પર ઉભા છે. પ્રભાવિત ક્ષેત્રની હોટલોને પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આસપાસની જગ્યાઓને ખાલી કરી દેવાયા છે. રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉત્તરાખંડમાં ચિંતાજનક સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર તેની પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. થોડા દિવસો પહેલા પીએમઓએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી તો અવાર-નવાર ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે. 

बिना मुआवजा दिए जोशीमठ के दो होटल ढहाने के विरोध में प्रदर्शन करते स्थानीय लोग।

ઈમારતો તોડવાની થઈ રહી છે કામગીરી

ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહે જોશીમઠની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા હતા. કેન્દ્રની ટીમે પણ ઉત્તરાખંડના પ્રવાસે છે. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.   


કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર રાખી રહી છે નજર

જોશીમઠમાં એક તરફ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે તો બીજી તરફ વાતાવરણને કારણે આ કાર્યવાહીમાં અડચણ રૂપ થઈ શકે છે. વાતાવરણની સીધી અસર ત્યાં થતા કામકાજ પર પડી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ લોકોને ધીરજ રાખવા અપીલ પણ કરી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.