Junagadhની આ યુનિવર્સિટીમાં થયો મોટો છબરડો, ટોટલ માર્ક્સ કરતા પણ વિદ્યાર્થીઓને અપાયા વધારે માર્ક્સ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 10:30:06

યુનિવર્સિટીની પરીક્ષામાં અનેક વખત છબરડા થયા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કોઈ વખત પેપર ફૂટે છે તો કોઈ વખત પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોય છે. ફરી એક વખત એક યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો હોય તેવી માહિતી સામે આવી છે. પેપર હતું 50 માર્ક્સનું અને મહત્તમ માર્ક 50 કરતા વધારે છપાયા. આવી ઘટના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બની છે.     

પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી! 

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો મોટો છબરડો સામે આવ્યો છે. નર્સીંગ કોલેજનાં ટીવાય બીએસસી નર્સીંગના વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાઇ તેમાં મેન્ટલ હેલ્થ નર્સીંગ વિષયના પ્રેક્ટિકલ એક્સ્ટર્નલમાં મહત્તમ માર્ક 50 કરતાં મળેલા માર્ક વધુ છપાયા હતા. આવા 34 વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સમક્ષ આ છબરડા વિશેની ફરીયાદ કરી હતી. તેથી તમામની માર્કશીટ સુધારીને બધાને ફરીથી નવી માર્કશીટ ઇસ્યુ કરાઇ હતી. આ દરમ્યાન યુનિવર્સિટીની છબરડાવાળી 4 માર્કશીટો સોશિયલ મીડિયા પર એવી ટીપ્પણી સાથે વાયરલ થઇ ગઇ હતી કે, પ્રેક્ટિકલના માર્ક આપવામાં ગેરરીતિ આચરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.