Rajkot Game Zone Fire મામલે સરકારે કરી SITની રચના, તપાસ કરાશે પરંતુ સવાલ થાય કે માણસના જીવનની કોઈ કદર નથી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 16:56:40

ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની જે બાદ લાગે કે સરકાર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એક દુર્ઘટનાની ચર્ચા પૂર્ણ ના થઈ હોય કે બીજી દુર્ઘટનાની ચર્ચા કરવી પડે છે...આપણી સમક્ષ એવા અનેક ઉદાહરણો છે, એવા અનેક કિસ્સાઓ છે જેને કારણે આપણને થાય કે આ ઘટના બાદ તો સરકાર ઉંઘમાંથી જાગશે.. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે, પરંતુ કમનસીબે આમાંથી કઈ નથી થતું... ઘટનાનું સ્થળ બદલાય છે, મૃતકોના સરનામા બદલાય, મૃત્યુઆંક બદલાય પરંતુ નથી બદલાતી તે સિસ્ટમ છે.. એવી માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રી આજે સ્થળ મુલાકાત લઈ શકે છે.. 

અનેક દુર્ઘટનાઓ બની છે જેમાં અનેક લોકોના મોત થયા છે 

રાજકોટમાં ગઈકાલે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ... ટીઆરપી ગેમઝોનમાં મોડી સાંજે એકાએક આગ લાગી... આગમાં 27 જેટલી જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ.. ત્યાં કેવી સ્થિતિ સર્જાઈ હશે તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય છે.. કેવી ચિચિયારીઓ ગુંજી હશે જ્યારે જીવતા બાળકો અગ્નિની જ્વાળામાં બળતા હશે ત્યારે.. આગ લાગવાની કે આવી બીજી દુર્ઘટનાઓ પહેલીવાર નથી બની, જ્યારે અનેક લોકોના મોત એકસાથે થઈ ગયા હોય... ગુજરાતવાસીઓએ અનેક આવી દુર્ઘટનાઓ જોઈ છે.. એ તક્ષશીલા અગ્નિકાંડ હોય, હરણી લેકમાં બનેલી દુર્ઘટના હોય કે પછી બીજી અનેક એવી દુર્ઘટનાઓ જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે...


સરકાર દ્વારા આપી દેવાયા છે તપાસના આદેશ 

આ ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે,IPS સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં SIT તપાસ કરવાની છે..  આ ટીમમાં ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર એચ.પી. સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઑફિસર જે.એન ખડિયા સહિતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે દુર્ઘટના સર્જાય છે તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરાય છે, ચહેરાઓ બદલાય છે પરંતુ નથી બદલાતી તે પરિસ્થિતિ..  


તપાસ કરી શું ઉખાડી લેશે સરકાર?  

અધ્યક્ષોના ચહેરાઓ બદલાયા છે, મુખ્યમંત્રી બદલાયા છે.. મુખ્યમંત્રી પછી લાગતી ટેગલાઈન બદલાઈ છે.. પહેલા સંવેદનશીલ મુખ્યમંત્રી લખાતું હતું હવે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી લખાય છે.. સવાલ એ થાય કે આ એસઆઈટીની રચના કરવામાં આવી છે, તપાસ કરવામાં આવશે પરંતુ આ બધા પછી પણ સરકાર શું ઉખાડી લેશે તે સવાલ છે? એ માતાને શું પોતાનું સંતાન પાછું મળશે જે આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યું છે? 

 


સવાલ થાય કે શું સરકાર આટલી દુર્ઘટનાઓ પછી ઉંઘમાંથી જાગશે? 

આપણે માત્ર સંવેદનાઓ પાઠવી શકીશું એ પરિવારને જેણે પોતાના વ્હાલસોયાને આવી દુર્ઘટનામાં ગુમાવ્યા છે.. પરંતુ શું આપણે સાચે એ પીડાને અનુભવી શકીશું જે પીડા આજે એ પરિવારના સભ્યોને થતી હશે? કોણે વિચાર્યું હશે કે તે ગેમ ઝોનની ટિકીટ નથી ખરીદી રહ્યા પરંતુ મોતની ટિકીટ ખરીદી રહ્યા છે? અનેક લોકોના જીવ ગયા, અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા.. આવી દુર્ઘટના સર્જાય તે બાદ આપણને લાગે કે સિસ્ટમ ઉંઘમાંથી જાગી જશે, સરકાર જાગશે અધિકારીઓ જાગશે, આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે પ્રયત્ન કરશે, પરિવર્તન આવશે પરંતુ અનેક ઘટનાઓ બાદ પણ પરિવર્તન નથી આવતું... સરકાર, લોકો જાણે મોતનો તમાશો જોવા માટે ટેવાઈ ગયા હોય તેવું લાગે છે...!  



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..