Ahmedabad Crime Branchના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ કરી હતી આત્મહત્યા, પીઆઈ ખાચર ફરાર.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-12 13:17:30

થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ  પરિસરમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા આત્મહત્યા કરી લે છે પરંતુ અનેક કલાકો સુધી કોઈને એ વાતની ખબર પણ ના પડી. પ્રેમસંબંધમાં મળેલી નિષ્ફળતાને કારણે મહિલા ડોક્ટરે પોતાના જીવનને ટૂંકાવ્યું છે તેવું હાલ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ડો. વૈશાલી જોષી પીઆઈ બી.કે.ખાચર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પીઆઈને મળવા માટે ડો. વૈશાલી જોશી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવ્યા હતા તેવું લાગી રહ્યું છે. તેમની પાસેથી લખાણ પણ મળી આવ્યું હતું જેમાં તેમણે પીઆઈને જવાબદાર ગણાવ્યા હતા અને એવું પણ લખ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર પીઆઈ ખાચર કરે. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

પ્રેમમાં નિષ્ફળતા મળતા ડોક્ટર વૈશાલી જોશીએ ટૂંકાવ્યું જીવન!

આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે અને આની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે આર્થિક સંકળામણ, પ્રેમ સંબંધનમાં મળેલી નિષ્ફળતા, પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર વગેરે વગેરે... ત્યારે એક આત્મહત્યાનો કિસ્સો હાલ ચર્ચામાં છે, અને તે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ડો. વૈશાલી જોશીએ કરેલી આત્મહત્યાનો. આ કેસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રેમમાં નિષ્ફળતા મળી છે તેને કારણે ડોક્ટર વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી છે. 


કેસને સોલ્વ કરવા માટે પોલીસે લીધા અનેક લોકોના નિવેદન!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી અને આગામી સમયમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ કેસ નોંધાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે જ્યારથી આ કેસ બન્યો છે ત્યારથી પીઆઈ ફરાર છે આ મામલે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ કેસને સોલ્વ કરવા માટે અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પીજીમાં મહિલા ડોક્ટર રહેતા હતા ત્યાંના લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ કેસમાં અંદાજીત 10થી 12 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. પોસ્ટ મોર્ટમ અર્થે ડોક્ટરના મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે. 


આવનાર દિવસમાં ખુલી શકે છે ચોંકાવનારા રાજ!  

ડોક્ટર મહિલાના પરિવારનું નિવેદન લેવા માટે પોલીસ વૈશાલી જોશીના વતન જશે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત આ કેસમાં વધુ તપાસ કરવા માટે પણ પોલીસ ત્યાં જઈ શકે છે. મરતા પહેલા 14થી 15 પાનાની સ્યુસાઈડ નોટ વૈશાલી જોશીએ લખી હતી. હેન્ડ રાઈટીંગને મેચ કરવા માટે પણ સેમ્પલને લેબમાં મોકલી દેવામાં આવ્યો છે અને આ અંગે પોલીસ પુરાવા ભેગા કરી રહી છે. ફરાર થયેલા પીઆઈ તેમના મિત્રના ઘરે હોઈ શકે છે તેવી માહિતી પોલીસને મળી છે. આ કેસના તપાસમાં આગળ અનેક ખુલાસા થઈ શકે છે તેવું લાગે છે. 


આત્મહત્યા કરતા પહેલા લોકો નથી વિચારતા પરિવાર વિશે પણ!

મહત્વનું છે કે જે મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે તેમના પિતા હવે આ દુનિયામાં નથી. માતાની તેમજ પરિવારની જવાબદારી તેમના શીરે આવી હતી. એક બહેન વિદેશમાં છે અને ભાઈ પણ નથી. મહત્વનું છે કે અનેક કિસ્સાઓ આપણી સામે એવા છે જેમાં પ્રેમમાં નિષ્ફળતા મળવાને કારણે લોકો પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે. એક વાર પણ પોતાના પરિવારનું, માતા પિતાનું નથી વિચારતા. આવો કદમ ઉઠાવતા પહેલા દરેક વ્યક્તિએ પોતાના પરિવારનું વિચારવું જોઈએ. કારણ કે તેમણે આવું જોવા માટે મોટા ના કર્યા હતા.  



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.