મોરબીના માતમમાં કોને સૂઝે છે તાયફા કરવાનું? તમારો માંહ્યલો કેમ મરી ગયો છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 11:02:52


મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે આખુ ગુજરાત તેમાં પણ મોરબી ગહેરા આઘાતમાં ડૂબી ગયું છે. રવિવારે બનેલી ઘટનાએ અનેક પરિવારના લોકોને છીનવી લીધા છે. ઘટના થવાના થોડા સમય બાદ મુખ્યમંત્રી, હર્ષ સંઘવી તેમજ અનેક પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોરબી ખાતે જઈ, ચાલી રહેલા રેસ્ક્યુની કામગીરી પર નજર રાખી હતી ઉપરાંત જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજે મોરબીની મુલાકાત લેવાના છે.

 

પીએમના આગમન પહેલા રસ્તા થઈ જાય છે રિનોવેટ

ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન હાલ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવ્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડલની વાતો કરતા હોય છે. ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામો તેઓ ગણાવતા હોય છે. સારા રોડની વાતો કરે છે, સારા Infrastructureની વાતો કરે છે, પરંતુ તેમને ક્યાં ખબર છે કે સારા રસ્તા તેમની મુલાકાત પહેલા જ બનાવામાં આવે છે. જે રસ્તેથી તેમનો કાફલો પસાર થવાનો હોય તે રસ્તાની હાલત એટલી બધી સુધરી જાય છે કે આપણને લાગે કે આ આપણું શહેર નથી. 


વડાપ્રધાન આગમન પહેલા હોસ્પિટલમાં કરાયું કલરકામ 

આ વાત આજે એટલા માટે કરવી છે કારણ કે મોરબી સિવિલ હોસ્પિટલથી એવા દ્રશ્યો સામે આવ્યા જેણે બધા લોકોને હચમચાવી નાખ્યા. આ ફોટો એવા છે જેમાં કોઈના મૃતદેહો નથી પરંતુ એવા ફોટો છે જેમાં સિવિલ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં કલરકામ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે વડાપ્રધાન મોદી ત્યાં આવવાના છે. એક તરફ જ્યારે સમગ્ર મોરબીમાં માત્ર રડવાના અવાજ સંભળાય છે, લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે. તો બીજી તરફ લોકોને મદદરૂપ થવાને બદલે તંત્ર હોસ્પિટલના કલરકામ પર ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન આવવાના છે તેને કારણે રાતોરાત રસ્તા બનાવામાં આવી રહ્યા છે, રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. ખબર નથી પડી રહી કે વડાપ્રધાન સાંત્વના પાઠવવા આવી રહ્યા છે કે પ્રચાર કરવા આવી રહ્યા છે.      



થોડું ધ્યાન જો બ્રિજ પર રાખ્યું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત 

આવા સમયે લોકોને મદદરૂપ થવા તંત્રએ પ્રયાસ કરવો જોઈએ કે પીએમના આગમનની તૈયારીઓમાં લાગી જવું જોઈએ. આવી દરકાર જો બ્રિજ માટે રાખી હોતને તો આવી દુર્ઘટના સર્જાઈ પણ ન હોત. પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા પણ ન હોત. જ્યારે ખરેખર લોકોને તમારી જરૂર છે ત્યારે પણ જો તંત્ર પીએમને વિકાસ મોડલ બતાવવાનું પ્રયત્ન કરતું હોય તે યોગ્ય નથી.    



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.